સુરત શહેરમાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં સામૂહિક આપઘાતમાં સાતના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સાથે સાત લોકોના મોતથી ભારે અરેરાટી ફેલાઇ છે. ઝેરી દવા ગટગટાવી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવ પાલનપુર જકાતનાકા વિસ્તારનો છે, જ્યાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ઝેરી દવા ગટગટાવી પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. પતિ-પત્ની, માતા-પિતા અને એક બાળક અને બે બાળકી સાથે સામૂહિક આપઘાત કરી લીધું છે. મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે પરિવારના અન્ય સભ્યોએ ઝેરી દવા આપી હોવાની શંકા છે.
આ પરિવાર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો હતો. જ્યારે આખા પરિવારે સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ છે. ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રથામિત માહિતી અનુસાર, આર્થિક તંગીના લીધે પરિવારે સામૂહિક આપઘાત કરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.