અખંડ ભારતની રચનામાં સૌ પ્રથમ રજવાડાનું એકિકરણ કરવામાં સિંહફાળો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જંયતિ પ્રસંગે સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ ૩૧ ઓક્ટોબરને મંગળવારે ‘પિલગાર્ડન’ ખાતે ૮.૩૦ કલાકે સરદારની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને સ્મરણાંજલી પાઠવશે.
તા.૨૯ને રવિવારે સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ આયોજીત ધો-૮ થી ૧૨ના જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવેલ છે તે તમામ વિદ્યાર્થીઓ માટે સરદાર પટેલ ઉપર ઓનલાઈન પરિક્ષા સવારે ૯ઃ૪૫ કલાકે વિદ્યાર્થીને વોટ્સએપના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવેલ લીંક (રંંpજઃ//હટ્ઠvાટ્ઠિીંષ્ઠર.ૈહ/જટ્ઠઙ્ઘિટ્ઠિ) ઉપર તેઓ પરિક્ષા આપી શકશે. જેમાં દરેક ધોરણમાં પ્રથમ, દ્વિતિય તથા તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓને ૩૧મીએ ઈનામ આપી પ્રોત્સાહિત કરાશે. તો આ પ્રસંગે ભાવનગર શહેરના આગેવાનો, અગ્રણીઓ અને સરદારપ્રેમીઓ હાજરી આપવા સંસ્થાના
પીલગાર્ડનનું નામકરણ સરદારબાગ થયું પરંતુ…
ભાવનગર શહેરની મધ્યે આવેલ સરદારબાગ જેને હજુ ઘણા લોકો પીલગાર્ડનના નામે ઓળખે છે. અંગ્રેજ શાસનમાં નિર્માણ પામેલ આ બાગ ભાવનગરનું ઘરેણુ છે અને તેનું સૌને ગૌરવ પણ છે. આઝાદી બાદ સરદાર વલ્લભભાઇ પટેલના નામે આ બાગનું નામકરણ થયું હતું પરંતુ હજુ પણ લોક જીભે મોટાભાગે પીલગાર્ડન જ બોલાય છે. ત્યાં સુધી કે સરદાર પટેલના નામે ચાલતી સંસ્થાઓ પણ તેના કાર્યક્રમની યાદીમાં સરદારબાગને ‘પીલગાર્ડન’ તેવો ઉલ્લેખ જ કરે છે. આમ, પીલગાર્ડનનું નામ સરદારબાગ થયું પરંતુ હજુ આપણે સરદાર પટેલનું નામ તેની સાથે જાડી શક્યા નથી !!