કાશ્મીર ઘાટીમાં આતંકીઓએ ફરી એકવાર આતંકી હુમલો કર્યો છે. આ હુમલો સતત ત્રીજા દિવસે થયો છે. બારામુલ્લામાં જમ્મુ-કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને ગોળી મારી દેવામાં આવી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કાશ્મીર ઘાટીમાં આતંકીઓએ ફરી એકવાર આતંકી હુમલો કર્યો છે. આ હુમલો સતત ત્રીજા દિવસે થયો છે. આજે જમ્મુ-કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને બારામુલ્લામાં તેમના ઘર નજીક ગોળી મારી દેવામાં આવી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. લોકોએ ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જો કે તેનો જીવ બચાવવામાં તબીબોને સફળતા મળી ન હતી.
આ પહેલા આતંકીઓએ છેલ્લા 48 કલાકમાં બે ઘટનાઓને અંજામ આપીને ઘાટીમાં આતંક ફેલાવ્યો હતો. પહેલા 29 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશના એક મજૂરને પુલવામામાં ગોળી મારી દેવામાં આવી હતી, ત્યારબાદ 30 ઓક્ટોબરે શ્રીનગરમાં ક્રિકેટ રમી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ વાનીને ગોળી મારીને ઈજા થઈ હતી.