ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન સંગઠન હમાસ 7 ઓક્ટોબરથી યુદ્ધ લડી રહ્યાં છે. યુદ્ધમાં 49 દિવસ પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 4 દિવસનું સીઝ ફાયર થયું છે. હમાસે તેના બદલામાં 25 બંધકને છોડ્યા છે જેમાં 13 ઇઝરાયેલી, થાઇલેન્ડના 10 નાગરિક અને એક ફિલિપાઇન્સનો નાગરિક છે. આ તમામને ગાઝામાં રેડ ક્રોસ સોસાયટીનમા અધિકારીઓને સોપવામાં આવ્યા છે. ઇઝરાયેલે પણ 39 પેલેસ્ટાઇની કેદીઓને છોડ્યા છે. ખાડી દેશ કતારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સીઝફાયરની ડીલની મધ્યસ્થતા કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનો પણ તેમાં રોલ હતો.
સીઝફાયર દરમિયાન 150 પેલેસ્ટાઇની કેદીઓના બદલામાં કુલ 50 બંધકોને છોડવા પર સહમતિ બની છે. ડીલ હેઠળ ઇઝરાયેલે પણ 39 પેલેસ્ટાઇની કેદીઓને છોડ્યા છે. જેમાં 24 મહિલા અને 15 સગીર બાળક સામેલ છે. કતારના વિદેશ મંત્રાલયે તેની જાણકારી આપી છે.
4 દિવસના સીઝફાયર દરમિયાન દરરોજ ફ્યૂલથી ભરેલા 4 ટ્રક અને જરૂરીયાતનો સામાન લઇને 200 ટ્રક ગાઝામાં એન્ટ્રી કરશે, તેનાથી ગાઝાના રહેવાસીઓને માનવીય મદદ મળશે. આ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જાસુસી એજન્સી મોસાદને આખી દુનિયામાં હમાસના યૌદ્ધાઓને શોધવાના આદેશ આપ્યા છે, તેમણે કહ્યું, “હમાસના યૌદ્ધા જ્યા કઇ પણ હોય તેમણે પકડવા જોઇએ, મોટાભાગના લીડર્સ કતાર અને બેરૂતમાં રહે છે.”