રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની 5 ડિસેમ્બરના રાજસ્થાનના જયપુરમાં તેમના નિવાસસ્થાન પર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર સુખદેવના ગાર્ડ અજીતસિંહ અને નવીન શેખાવત નામના બિઝનેસમેનને પણ શૂટરોએ ગોળી મારી દીધી હતી. નવીનનું એ જ સમયે ઘટના સ્થળ પર જ મોત થયું હતું જ્યારે અજીતસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેનું હવે 7 દિવસ પછી અજીતસિંહનું પણ મોત થયું છે.
ગોળીબારમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અજીતસિંહને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, 7 દિવસ પછી અજીતસિંહનું પણ મોત થયું તેમનું મોત નીપજ્યું હતું. અજીત સિંહ સુખદેવ હત્યા કેસના એકમાત્ર સાક્ષી હતા. ગોળીબાર સમયે તેઓ સુખદેવ સાથે બેઠા હતા. શૂટરોએ ફાયરિંગ શરૂ કરતાં જ અજીતસિંહે સુખદેવને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમને પણ ગોળી વાગી હતી. તેમની સવાઈમાનસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ મંગળવારે મોડી રાત્રે અજીત સિંહનું પણ મોત થયું હતું.
આ કેસમાં પોલીસે ઘટનાના પાંચ દિવસ બાદ બંને શૂટર્સ અને એક સહયોગીની ચંદીગઢથી ધરપકડ કરી હતી. આ હત્યાકાંડને અંજામ આપવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાએ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના શૂટરોને પસંદ કર્યા હતા. બંને બિઝનેસમેન નવીન શેખાવત સાથે મળીને 5 ડિસેમ્બરે સુખદેવને લગ્નનું કાર્ડ આપવાના બહાને તેના ઘરે ગયા હતા. બધા સાથે બેઠા હતા ત્યારે નીતિન અને રોહિતે સુખદેવ પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું.