Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં હુમલાની ફિરાકમાઃ સેના હાઇએલર્ટ પર

સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં સંવેદનશીલ વિસ્તારો પર કબજો કરી લીધો છે

dharmendravaghela by dharmendravaghela
2023-12-18 11:59:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન સરહદે ૨૫૦થી ૩૦૦ આતંકીઓ લોન્ચપેડમાં જમ્મુ-કાશ્મીરમાં હુમલાની તૈયારી કરી રહ્યા છે. બીએસએફના ઈન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કહ્યું કે ગુપ્ત માહિતી મળી છે કે પાકિસ્તાનની સરહદના લોન્ચપેડમાં ૨૫૦થી ૩૦૦ આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં હુમલો કરવાની રાહ જોઈને બેઠા છે, પરંતુ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં બધા જ સંવેદનશીલ વિસ્તારો પર કબજો કરી લીધો છે અને સતત સાવચેતી રાખી રહ્યા છે, જેના કારણે તેઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની હિંમત નથી કરી રહ્યા.
તેમણે કહ્યું હતું કે, બીએસએફ અને સૈન્યના જવાનો સરહદીય વિસ્તારોમાં આતંકીઓના ઘૂસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ બનાવી દેશે. અમને વિશ્વાસ છે કે અમે આતંકીઓને તેમના ઈરાદામાં સફળ થવા દઈશું નહીં. તેમણે ઉમેર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેનું જોડાણ વધી ગયું છે. લોકો અમને સહયોગ આપતા રહેશે તો અમે વિકાસાત્મક પ્રવૃત્તિઓ વધુ સારી રીતે આગળ વધારી શકીશું. દરમિયાન જમ્મુ-કાશ્મીરના ડીજીપી આરઆર સ્વૈને શનિવારે જણાવ્યું હતું કે, કાશ્મીર ખીણમાં છેલ્લા કેટલાક સમયથી બંદૂકો શાંત છે. પોલીસ સતત ‘શૂન્ય ઘૂસણખોરી, શૂન્ય આતંકી ભરતી, શૂન્ય હથિયારોની દાણચોરી’ના લક્ષ્યાંક હાંસલ કરવા તૈયાર છે. સ્વૈને ઉમેર્યું હતું કે, આ વર્ષે સ્થાનિક આતંકીઓની સંખ્યા ૨૦થી પણ ઓછી થઈ ગઈ છે, જે વર્ષ ૨૦૨૨માં ૧૦૦થી વધુ હતી. જોકે, વિદેશી આતંકીઓ સુરક્ષા દળો માટે પડકારરૂપ છે.
તેમણે કહ્યું હતું કે અમે વિદેશી આતંકીઓની સંખ્યા અંગે ચોક્કસ માહિતી જણાવવા માગતા નથી, પરંતુ તે સુરક્ષા દળો માટે પડકારરૂપ છે.
જોકે, છેલ્લા કેટલાક સમયમાં આતંકી સંબંધિત ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ માટે હજુ થોડો સમય લાગશે. પાકિસ્તાન સતત ભારતમાં આતંકીઓને ઘૂસાડવાનો પ્રયત્ન કરતું રહ્યું છે અને તેમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.

Tags: alertJ&K
Previous Post

અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં થઈ ચૂક

Next Post

ભારતમાં રુવેન અઝાર ઈઝરાયેલના નવા રાજદૂત બનશે

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ભારતમાં રુવેન અઝાર ઈઝરાયેલના નવા રાજદૂત બનશે

ભારતમાં રુવેન અઝાર ઈઝરાયેલના નવા રાજદૂત બનશે

ગુજરાતમાં ૨૨થી ૨૪ ડિસેમ્બરના થશે માવઠું

ગુજરાતમાં ૨૨થી ૨૪ ડિસેમ્બરના થશે માવઠું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.