Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કવિ વિનોદ જોશી રાષ્ટ્રીય એવોર્ડથી પુરસ્કૃત

સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા એમની કૃતિ 'સૈરન્ધ્રી’ સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે જાહેર

dharmendravaghela by dharmendravaghela
2023-12-21 11:50:35
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ભારતીય ભાષાઓમાં પ્રતિવર્ષ અપાતો સર્વશ્રેષ્ઠ સાહિત્ય કૃતિનો એવોર્ડ વર્ષ 2023 માટે ગુજરાતી ભાષામાં કવિ વિનોદ જોશીના પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ને આપવાનો નિર્ણય જાહેર થયો છે. એમની આ વિખ્યાત કૃતિને અગાઉ પણ ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક, ભારતીય વિદ્યાભવનનો સમર્પણ પુરસ્કાર અને નર્મદ સુવર્ણચંદ્રક મળી ચૂક્યાં છે.


આ એવોર્ડ ભારતીય ભાષાઓમાં અપાતો પ્રતિષ્ઠિત એવોર્ડ છે જેમાં રૂપિયા એક લાખની રાશિ ઉપરાંત કાસ્કેટ અને શાલનો સમાવેશ થાય છે. આગામી ૧૨ માર્ચે દિલ્હી ખાતે યોજાનાર એક ભવ્ય સમારંભમાં વિનોદ જોશીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.
વિનોદ જોશી અનુઆધુનિક ગુજરાતી કવિતાના શિરમોર કવિ છે. મહાભારત પર આધારિત એમની આ કૃતિમાં અજ્ઞાતવાસ દરમિયાન દાસી બનતી દ્રૌપદીના મનોવલણોનું વિશિષ્ટ કાવ્યાત્મક આલેખન થયું છે જેને અનુલક્ષીને ભારતીય સાહિત્યમાં તેને નોંધપાત્ર કૃતિ ગણવામાં આવી છે. આ કૃતિનો હિન્દી અને ઓડિયા ભાષામાં અનુવાદ પ્રગટ થયો છે. આ ઉપરાંત હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, તેલુગુ, મૈથિલી, તમિલ, કન્નડ વગેરે ભાષાઓમાં તેનો અનુવાદ પુસ્તકરૂપે પ્રગટ થવામાં છે.

આજના સમયના અગ્રણી ઊર્મિકવિ છે વિનોદ જોશી
વિનોદ જોશી ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી અનુસ્નાતક ભવનના વડા તેમજ આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને કુલપતિ તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા છે. એમની મુખ્ય ઓળખ કવિ તરીકેની છે પરંતુ તેઓ ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર વિવેચક પણ છે. એમનાં ચાલીસ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે. એમને ગુજરાતી કવિતાના સર્વશ્રેષ્ઠ ગણાતા નરસિંહ મહેતા એવોર્ડથી તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના સાહિત્યગૌરવ પુરસ્કારથી અને અન્ય અનેક પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. એમનાં અસંખ્ય ગીતોને ગુજરાતી સુગમ સંગીતના કલાકારોએ સ્વરબદ્ધ કરી ગાયાં છે. આજના સમયના અગ્રણી ઊર્મિકવિ તરીકે સાહિત્યક્ષેત્રે એમની ગણના થાય છે.

Tags: bhavnagargujaratsahitya akadami national awardsairandhrivinod joshi
Previous Post

કોચીની હોસ્પિટલોમાં ફ્લૂ જેવી બીમારીથી પીડિત 30% લોકો કોવિડ પોઝિટિવઃ નિષ્ણાત

Next Post

ભાવનગરમાં ભાયાણીની વાડી નજીકના રોડ સાઈડના દબાણો દુર કરાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ભાવનગરમાં ભાયાણીની વાડી નજીકના રોડ સાઈડના દબાણો દુર કરાયા

ભાવનગરમાં ભાયાણીની વાડી નજીકના રોડ સાઈડના દબાણો દુર કરાયા

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરાયો

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.