Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લાપતા આર્મી જવાનના પેન્શન માટે પત્નીએ 12 વર્ષે ફરિયાદ નોંધાવી

દહેરાદૂનમાં પોસ્ટિંગ બાદ જવાન હાજર જ ન થયો

dharmendravaghela by dharmendravaghela
2023-12-29 13:16:08
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આણંદના બોરસદમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પત્નીએ 12 વર્ષ અગાઉ ગુમ થયેલા આર્મીમેન પતિનું પેન્શન મેળવવા માટે અરજી કરી હતી. જો કે, વિભાગમાંથી તેમને તેના ગુમ થયાની હકીકત અંગે કોઈ પુરાવો આપવા માટે જણાવવાનું કહેતા આખરે મહિલાએ 12 વર્ષ બાદ તેના ગુમ થયાની ફરિયાદ બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
28 વર્ષીય સાજીદખાન અનવરખાન પઠાણ આર્મીમાં ફરજ બજાવતો હતો. તેને દહેરાદૂન ખાતે પોસ્ટિંગ મળતાં 10મી એપ્રિલ 2012માં તે ઘરેથી દહેરાદૂન જવા માટે નીકળ્યો હતો. પણ તે ત્યાં હાજર જ થયો નહોતો. બીજી તરફ યુવકની પત્ની સાહિદાબાનુએ સગા-સંબંધી અને મિત્ર વર્તુળમાં તપાસ કરી હતી. પરંતુ તેનો કોઈ પતો મળ્યો નહોતો. જેને પગલે ગુરુવારે આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
સાહિદાબાનુ માટે તેના ત્રણ બાળકોનો જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બન્યો હતો. જેને પગલે તેણે વિભાગમાં તેણીને પતિનું પેન્શન તેને મળે તે માટે થોડા સમય અગાઉ અરજી કરી હતી. બોરસદનો આર્મી મેન ગુમ થયા બાદ હવે 12 વર્ષે પોલીસને જાણ કરવામાં આવી છે. જો પોલીસની તપાસ દરમિયાન જવાન મળી આવશે તો આર્મીને સત્તાવાર જાણ કરાશે. જો કે ફરજ પર હાજર થયો ન હોવાથી આર્મી દ્વારા તેનો કોર્ટ માર્શલ કરાય તેવી શકયતા જાણકારોએ વ્યકત કરી હતી.
સમગ્ર કિસ્સામાં યુવક જીવિત છે કે મૃત તે જ નક્કી થઈ શક્યું નથી. જોકે, નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનો સાત વર્ષ સુધી કોઈ પતો ન મળે તો તેવા કિસ્સામાં તેને મૃત જાહેર કરવામાં આવે છે. આ માટે કોર્ટમાંથી પ્રોસિઝર કરવી પડે છે અને એ પછી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થયા બાદ તેને મૃત જાહેર કરવામાં આવતો હોય છે.

Tags: Firgujaratlapata aarmy manwife
Previous Post

AAP નેતા સંજયસિંહ ને ગુજરાત કોર્ટનું તેડું

Next Post

ઘોઘા તાલુકાના ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધીનો અનોખો વિરોધ

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ઘોઘા તાલુકાના ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધીનો અનોખો વિરોધ

ઘોઘા તાલુકાના ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધીનો અનોખો વિરોધ

મારૂતિ સુઝુકી સુરેન્દ્રનગર નજીક ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટ સ્થાપશે

મારૂતિ સુઝુકી સુરેન્દ્રનગર નજીક ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટ સ્થાપશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.