રામ મંદિરના અભિષેક પ્રસંગે દેશ-વિદેશમાંથી અનેક મહેમાનો આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવનાર આ મહેમાનોને ખાસ ભેટ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે.
ફાઉન્ડેશનના ખોદકામ દરમિયાન બહાર કાઢવામાં આવેલી રામજન્મભૂમિની માટીને બોક્સમાં પેક કરીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેનારા મહેમાનોને આપવામાં આવશે. મંદિર ટ્રસ્ટે શુક્રવારે આ માહિતી આપી હતી. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શણની થેલીમાં પેક રામ મંદિરનો 15 મીટરનો ફોટો રજૂ કરવામાં આવશે.
ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં 11,000 થી વધુ મહેમાનો અને આમંત્રિતોને યાદગાર ભેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રામજન્મભૂમિની માટી ઉપરાંત દેશી ઘીમાંથી બનેલા 100 ગ્રામ મોતીચુર લાડુ પણ મહેમાનોને પ્રસાદ તરીકે આપવામાં આવશે.