રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સતત છઠ્ઠી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ વ્યાજ દરો 6.5% પર યથાવત રાખ્યા છે. એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારો EMI પણ નહીં વધે.
RBIએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં દર 0.25% થી 6.5% વધાર્યા હતા. જ્યારે ગત નાણાકીય વર્ષમાં રેપો રેટ 6 વખતમાં 2.50%નો વધારો કરવામાં આવ્યો હતો. 6 ફેબ્રુઆરીથી ચાલી રહેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે એટલે કે ગુરુવારે આ માહિતી આપી હતી. આ બેઠક દર બે મહિને થાય છે. RBIએ તેની અગાઉની ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કર્યો ન હતો. નાણાકીય નીતિની બેઠક દર બે મહિને થાય છે. ગયા નાણાકીય વર્ષ 2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ-2022માં યોજાઈ હતી. ત્યારે RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ 2જી અને 3જી મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને RBIએ રેપો રેટ 0.40% વધારીને 4.40% કર્યો હતો.
રેપો રેટમાં આ ફેરફાર 22 મે, 2020 પછી થયો છે. આ પછી 6 થી 8 જૂન દરમિયાન યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.50%નો વધારો કરવામાં આવ્યો હતો. આ કારણે રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં તેમાં 0.50%નો વધારો કરીને તેને 5.40% કરવામાં આવ્યો. સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને 5.90% થયા. ત્યારબાદ ડિસેમ્બરમાં વ્યાજ દર 6.25% પર પહોંચી ગયા. આ પછી, નાણાકીય વર્ષ 2022-23 માટે છેલ્લી નાણાકીય નીતિની બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જેમાં વ્યાજ દર 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યો હતો.