Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફેસબુક લાઈવમાં ઉદ્ધવ જૂથના નેતાની હત્યા

હુમલાખોરે પણ આત્મહત્યા કરી : રાઉતનો દાવો- CM શિંદે 4 દિવસ અગાઉ આરોપીને મળ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2024-02-09 11:32:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મુંબઈમાં, શિવસેનાના નેતા અને ઉદ્ધવ જૂથના ભૂતપૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોષાલકરની ગુરુવારે રાત્રે ફેસબુક લાઈવ પર ચર્ચા દરમિયાન અભિષેકને ગોળી મારવામાં આવી હતી. અભિષેક પર હુમલા બાદ આરોપીએ ખુદને પણ ચાર ગોળી મારી દીધી હતી. જેના કારણે તેનું પણ મોત થયું હતું. આરોપીની ઓળખ મોરિસ તરીકે થઈ છે.
અભિષેક ઘોષાલકર શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોષાલકરના પુત્ર હતા. મોરિસે ફેસબુક લાઈવના બહાને અભિષેકને પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક લાઈવ બાદ અભિષેક ઉઠીને જતા હોવાનું જોવા મળ્યું હતું. આ દરમિયાન મોરિસે તેના પર 4-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી તેણે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. અભિષેકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આરોપી મૃતક મોરિસ ભાઈ તરીકે જાણીતો હતો. વીડિયોમાં દેખાતો વ્યક્તિ મોરિસ છે. તેણે ફેસબુક લાઈવના બહાને પહેલાં અભિષેક ઘોષાલકરને ઓફિસમાં બોલાવ્યો અને બાદમાં તેને ગોળી મારી દીધી હતી. આ ઘટના અંગે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મોરિસને મુંબઈ પોલીસ દ્વારા કોઈ શસ્ત્ર લાઇસન્સ આપવામાં આવ્યું નથી. તેથી, મોરિસે જે હથિયાર વડે ગોળીબાર કર્યો હતો તે ગેરકાયદે હોવાની શંકા છે.
શિવસેના નેતાની હત્યા અને હુમલાખોરની આત્મહત્યાને લઈને બે અલગ-અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસે ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક અને મોરિસ વચ્ચે થોડો અણબનાવ હતો. જોકે તાજેતરમાં બંને વચ્ચે સમજૂતી થઈ હતી. આ કારણે ઘોષાલકર ગુરુવારે રાત્રે તેમના ફોન પર મોરિસની ઓફિસે આવ્યા હતા. લાઈવ દરમિયાન અભિષેક એમ પણ કહે છે કે લોકો તેને મોરિસ સાથે જોઈને આશ્ચર્યચકિત થઈ જશે.

Tags: fb live murderMumbaiubt shivsena leader
Previous Post

મૌલાના મુફ્તિ સલમાન અઝહરીના ભચાઉ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Next Post

અયોધ્યા પછી મથુરા : શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ લાવવા ભાજપની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અયોધ્યા પછી મથુરા : શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ લાવવા ભાજપની તૈયારી

અયોધ્યા પછી મથુરા : શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ લાવવા ભાજપની તૈયારી

હિંસા બાદ હલ્દવાનીમાં એલર્ટ: 6નાં મોત, 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ

હિંસા બાદ હલ્દવાનીમાં એલર્ટ: 6નાં મોત, 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.