પીએમ મોદી 24 અને 25 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે પણ આવવાના છે. દરમિયાન તેઓ દ્વારકા સિગ્નેચર બ્રિજ, રાજકોટ એઇમ્સમાં IPD સેવા તેમ જ જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પીએમ મોદીના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ માટે બીજેપીનાનેતાઓ દ્વારા બેઠકોનો દોર પણ શરૂ કરી દેવાયો છે.
અગાઉ પીએમ મોદી રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ માટે આવ્યા હતા. . માહિતી મુજબ, 24 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી રૂ. 978 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે. જ્યારે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ એઇમ્સમાં તૈયાર કરાયેલ 250 બેડની IPD સેવાનો પ્રારંભ કરાવશે. ઉપરાંત, રાજકોટમાં નવા રિંગરોડ પર નિર્માણ પામેલ અટલ સરોવર અને જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે.