Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહારમાં JDU નેતાની ગોળી મારી હત્યા

સમર્થકોનો હોબાળો, રોડ પર ચક્કાજામ

aaspassdaily by aaspassdaily
2024-04-25 12:01:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણીને કારણે દેશભરમાં રાજકીય માહોલ ગરમાયો છે, એવામાં બિહારમાં પટનાના પુનપુન વિસ્તારમાં જનતા દળ યુનાઈટેડના નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા થતા ચકચાર ફેલાઈ ગઈ છે. આ ઘટના બાદ નેતા સમર્થકો રોષે ભરાયા છે, લોકોએ પટના-પુનપુન રોડ બ્લોક કરીને હોબાળો મચાવ્યો છે.
ઘટનાની જાણકારી મુજબ JDUના નેતા સૌરભ કુમારની પટનાના પુનપુન વિસ્તારના પાઈમાર ગામ પાસે બેલડિયા પુલ પાસે ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી હતી. ફાયરિંગમાં તેમના એક મિત્ર મુનમુન કુમાર ઘાયલ થયા છે. તેમને સારવાર માટે પટનાની કાંકરબાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેની હાલત નાજુક હોવાના અહેવાલ છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર આવી ગયા હતા. લોકોએ પટના-પુનપુન રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ લોકોને શાંત કરવાના પ્રયાસ કર્યા હતા. સ્નિફર ડોગ્સ સાથે ફોરેન્સિક સાયન્સ ટીમને સ્થળ પર પહોંચી હતી.
અહેવાલ મુજબ JDU નેતા સૌરભ કુમાર બુધવારે મોડી રાત્રે બધૈયા કોલ ગામમાં તેમના મિત્ર અજીત કુમારના ભાઈની રિસેપ્શન પાર્ટીમાં ગયા હતા. રાત્રે લગભગ 12 વાગે તેઓ મિત્ર મુનમુન કુમાર સાથે રિસેપ્શન પાર્ટીમાંથી શિવ નગર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. સૌરભ કુમાર પોતાની કારમાં બેઠા હતા ત્યારે હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા અને ગોળીઓ ચલાવી. સૌરભ કુમારને માથામાં અને મિત્ર મુનમુન કુમારને પેટ અને હાથમાં ગોળી વાગી હતી. ગોળી મારી હુમલાખોરો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ફાયરિંગની માહિતી મળતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોએ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ડૉક્ટરે સૌરભ કુમારને મૃત જાહેર કર્યા, જ્યારે ઈજાગ્રસ્ત મુનમુન કુમારને પટનાના કાંકરબાગ સ્થિત ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની હાલત નાજુક છે.

Previous Post

PM મોદીની ગુજરાતમાં બે દિવસમાં 6 સભાઓ : 15 બેઠકો આવરી લેશે

Next Post

પ્રચારમાં રામ મંદિર અને કરતારપુર કોરીડોર અંગેના વિધાનોમાં મોદીને કલીનચીટ

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
અનામતને ધર્મના નામે વિભાજિત થવા દેવામાં આવશે નહીં : મોદી

પ્રચારમાં રામ મંદિર અને કરતારપુર કોરીડોર અંગેના વિધાનોમાં મોદીને કલીનચીટ

જ્ઞાનવાપી મસ્જીદ પર ફેંસલો આપનાર જજને ધમકી

જ્ઞાનવાપી મસ્જીદ પર ફેંસલો આપનાર જજને ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.