વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના પ્રવાસે છે. તેમણે બેલાગાવીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. સવારથી રાત સુધી રેલીઓ બાદ પીએમ મોદી હોટલ પહોંચ્યા. જે હોટલમાં તેઓ રોકાવાના હતા. ત્યાં તેના સ્વાગત માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી.
પીએમના ડિનર માટે 36 પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. દક્ષિણ ભારતીય ભોજન ઉપરાંત ઉત્તર ભારતીય ભોજન પણ રાંધવામાં આવ્યું હતું. પરંતુ પીએમએ કંઈ ખાધું નહોતું. તેઓએ માત્ર નાળિયેર પાણી પીધું અને સૂઈ ગયા હતા.
પીએમ મોદી જ્યારે બેલગાવી આવ્યા ત્યારે લોકો અને ભાજપના નેતાઓ ઉત્સાહ માં હતા. તેમને ખબર હતી કે પીએમ રવિવારે રાત્રે બેલાગઢીમાં રોકાશે. હોટેલમાં તૈયારીઓ કરવામાં આવી હતી. જ્યાં તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પીએમના રાત્રિ ભોજન માટે, ઉત્તર અને દરિયાકાંઠાના કર્ણાટકની વાનગીઓ સહિત 36 પ્રકારની લોકપ્રિય વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. કેટલીક ઉત્તર ભારતીય વાનગીઓ પણ બનાવવામાં આવી હતી. પીએમ મોદી ડિનર માટે રૂમમાં પ્રવેશ્યાના થોડી વાર પછી એક ગ્લાસ નારિયેળ પાણીનો ઓર્ડર આપ્યો.