ચારધામ યાત્રા પર જવા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. હરિદ્વાર અને ઋષિકેશમાં શનિવારે સવારે 7 વાગ્યાથી ઑફલાઇન રજિસ્ટ્રેશન શરૂ છે. ઉત્તરાખંડના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કર્યા બાદ ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓની સુવિધા માટે 1 જૂનથી ફરીથી ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હરિદ્વાર અને ઋષિકેશમાં શનિવારે સવારે 7 વાગ્યાથી ઑફલાઇન રજિસ્ટ્રેશન શરૂ છે. 1 જૂનથી, હરિદ્વારમાં દરરોજ 1500 ભક્તો અને ઋષિકેશમાં દરરોજ 1500 ભક્તો ચારધામ માટે નોંધણી કરાવી શકશે. ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ શુક્રવારે જણાવ્યું હતું કે ચારધામ યાત્રાની શરૂઆતમાં ભક્તોની સંખ્યામાં ભારે વધારો થતાં ઑફલાઇન રજિસ્ટ્રેશન અસ્થાયી રૂપે 31 મે સુધી બંધ કરવામાં આવ્યું હતું. સીએમ ધામીએ ચારધામ યાત્રાની સતત સમીક્ષા કરી હતી.
સરકારની પ્રાથમિકતા તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવાની છે. મુખ્યમંત્રીએ ચારધામ યાત્રાની સમીક્ષા કર્યા બાદ પ્રશાસન પોતાના સ્તરે યાત્રાને લઈને નિર્ણય લે તેવી સૂચના આપી હતી. ભક્તોની સલામતી અને સરળ યાત્રાને ધ્યાનમાં રાખીને નોંધણી બંધ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે હાલ સ્થિતિ સામાન્ય છે. તેમને જણાવ્યું કે ઑફલાઇન રજિસ્ટ્રેશન શરૂ થયા પછી પણ પ્રશાસન સંજોગો અનુસાર દર કલાકે ચારધામ યાત્રાને લઈને પોતાનો નિર્ણય બદલી શકે છે. ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ ચારધામ ભક્તોને સુવિધા મળશે.
આ પહેલા પાંડેએ ઋષિકૂળ મેદાનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અધિકારીઓએ ચારધામ યાત્રાના ભક્તો માટે ઋષિકૂળ મેદાનમાં વીજળી, પાણી, શૌચાલય વગેરેની વ્યવસ્થા જાળવવા સૂચના આપી હતી.