સૂત્રોના જણાવ્યા અનુસાર 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં NDA સાંસદોની બેઠક યોજાશે. આ પછી મોદી સરકાર બનાવવાનો દાવો કરવા માટે સાંજે 5 થી 7 વચ્ચે રાષ્ટ્રપતિ પાસે જશે. 8મી જૂને મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ દરમિયાન તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.
પીએમ મોદીએ બુધવારે (5 જૂન) બપોરે 2 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું. કેબિનેટ ભંગ કરવાની પણ ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું. તેમજ નવી સરકાર કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી તેમને અને મંત્રી પરિષદને પદ પર રહેવા વિનંતી કરી હતી. આ પહેલા મોદી કેબિનેટની છેલ્લી બેઠક સવારે 11.30 વાગે મળી હતી. બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પછી મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાજીનામું સુપરત કર્યું. મોદી હવે કાર્યકારી પીએમ રહેશે.