PM નરેન્દ્ર મોદી આજે નાલંદામાં છે. તેમણે લગભગ 15 મિનિટ સુધી 1600 વર્ષ જૂની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના અવશેષોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન 10.03 વાગ્યે ખંડેર પર પહોંચ્યા હતા. તેઓ ત્યાંથી 10.24 મિનિટે રવાના થયા હતા.
આ પછી વડાપ્રધાન પ્રાચીન નાલંદા યુનિવર્સિટી પહોંચ્યા હતા. ત્યાં તેમણે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસને દેશને સમર્પિત કર્યું છે. વડાપ્રધાને યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. પીએમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ નાલંદામાં હાજર છે. ઘણા દેશોના રાજદૂતો, કેન્દ્ર અને રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ પણ નાલંદા પહોંચ્યા છે. લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદીની બિહારની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે.