ખેડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચાંદીપુરા રોગચાળાએ માથું ઉચક્યું છે. અગાઉ કપડવંજ, મહેમદાવાદ, ગળતેશ્વર પંથકમાંથી કુલ છ કેસ સામે આવ્યા હતા. જે પૈકી મહેમદાવાદ પંથકમાં એક બાળકનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું.
સોમવારે ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામમાં અઢી વર્ષના બાળકને ચાંદીપુરા રોગના લક્ષણો દેખાતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેને લઈ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. ખેડા જિલ્લામાં અત્યારસુધીમાં કુલ ૬ બાળ દર્દીઓ નોંધાયા છે, જે પૈકી એકનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું.