કોલકાતામાં ટ્રેઈની ડૉક્ટરનો રેપ-હત્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ ચાલી રહી છે. CJIએ કોલકાતાની ઘટના પર સુનાવણી દરમિયાન કહ્યું- ડોક્ટરો કામ પર પાછા ફરે, અમે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે. CJIએ કહ્યું- જો તમે કામ પર પાછા નહીં ફરો તો જાહેર વહીવટી માળખું કેવી રીતે કાર્ય કરશે? રેસિડેન્ટ ડોકટરોને નેશનલ ટાસ્ક ફોર્સ (NTF)માં સામેલ કરવામાં આવશે નહીં. CJIએ કહ્યું- હું હોસ્પિટલોની હાલત જાણું છું. મારા પરિવારનો એક સભ્ય બીમાર હતો ત્યારે હું પોતે સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂઈ ગયો હતો.
ટ્રેઈની ડૉક્ટરનો રેપ-હત્યા કેસમાં CBIએ પોતાનો સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો છે. એજન્સીએ કોર્ટને જણાવ્યું કે 9 દિવસની તપાસમાં અત્યાર સુધી શું માહિતી મળી છે. આ તરફ પશ્ચિમ બંગાળ સરકારે પણ હત્યા અને હોસ્પિટલમાં તોડફોડની અત્યાર સુધીની તપાસ પર પોતાનો સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો છે. એજન્સી કોર્ટને જણાવશે કે 9 દિવસની તપાસમાં અત્યાર સુધી શું માહિતી મળી છે. કલકત્તા હાઈકોર્ટે 13 ઓગસ્ટે રેપ-હત્યાનો કેસ સીબીઆઈને સોંપ્યો હતો. 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે CBIને તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસને 14-15 ઓગસ્ટની રાત્રે હોસ્પિટલમાં થયેલી તોડફોડની તપાસ રિપોર્ટ સોંપવા પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બેદરકારી દાખવવા બદલ પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને ઠપકો પણ આપ્યો હતો. 14-15 ઓગસ્ટની રાત્રે, ડૉક્ટરોના શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન હજારોનું ટોળું હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું. ટોળાએ ડોકટરો અને મેડિકલના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે ઘટના સમયે કોલકાતા પોલીસ શું કરી રહી હતી?
ડોક્ટરોના વકીલ કહ્યું, ડોક્ટરોને 48-48 કલાક ડ્યૂટી કરવા પડે છે. આવી સ્થિતિમાં, તમે ન તો શારીરિક અને માનસિક રીતે એવી સ્થિતિમાં હોવ છો કે તમે તમારી સાથે થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરી શકો. જ્યારે હું ગંભીર ગુનાઓની વાત પણ નથી કરતો. CJI કહ્યું, અમને ઘણા બધા ઈમેલ મળ્યા છે જેમાં ડૉક્ટરોએ કહ્યું છે કે તેમના પર ઘણું દબાણ છે. 48 કે 36 કલાકની ડ્યુટી સારી નથી. અમે તેને આજે અમારા ઓર્ડરમાં ઉમેરીશું.