Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકાયા ત્યાં એકેય બાંધકામ સાઇટ નથી તો 600 પથ્થરો ક્યાંથી આવ્યા?

પોલીસ માની રહી છે કે, આ હિંસાની ઘટના સુનોયોજિત કાવતરું છે : હિંસક પ્રવૃત્તિમાં 200 વધુ લોકોની શોધખોળ

dharmendravaghela by dharmendravaghela
2024-09-12 11:50:39
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતની સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે જ્યારે હિંસાની ઘટના બની હતી, ત્યારે રાત્રે અચાનક જ ચોકીના નજીકના બિલ્ડિંગના આગાસી, બાલ્કની સહિત અન્ય જગ્યાઓથી પથ્થરમારાની ઘટના બનવા શરૂ થઈ હતી. ભીડ એકત્ર થઈ અને તેના 30 મિનિટમાં પથ્થરમારાની ઘટના પણ શરૂ થઈ ગઈ. ચોકીના 300 મીટરના વિસ્તારમાં ક્યાં પણ બાંધકામ કરવામાં આવી રહ્યું નથી, તો લગભગ 600થી વધુ ઈટ અને પથ્થર ગણતરીની મિનિટોમાં આ સ્થળ પર આવ્યા ક્યાંથી?
આ અંગે લાલગેટ પોલીસ તપાસ કરી રહી છે. ઘટના સ્થળ પાસેથી મળી આવેલા પથ્થર અને ઈંટોની વીડિયોગ્રાફી પોલીસે કરી છે. આટલી મોટી સંખ્યામાં પથ્થર અને ઈંટો જોઈ પોલીસ માની રહી છે કે, આ હિંસાની ઘટના સુનોયોજિત કાવતરું છે.
સૈયદપુરા પોલીસ ચોકી નજીક અચાનક જ હજારોની સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા અને ગણતરીના મિનિટોમાં અચાનક જ હિંસક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ. ગણેશ પંડાલ કે જ્યાં પથ્થરમારાની ઘટના આરોપી બાળકો દ્વારા કરવામાં આવી હતી. તે પોલીસ ચોકીથી લગભગ 200 મીટર દૂર છે. આ ઘટનાથી ઉશ્કેરાયેલા લોકો પોલીસ ચોકી આવશે, એ કોઈને ખબર નહોતી. પરંતુ જ્યારે લોકો એકત્ર થયા ત્યાં આ ઘટનાને લઇ ભારે વિરોધ શરૂ થઈ ગયો. રાજકારણીઓ એકત્ર થઈ ગયા અને તેના અડધા કલાક બાદ અચાનક જ ચારે બાજુથી પોલીસ અને લોકો ઉપર પથ્થરમારો શરૂ થઈ ગયો.
પોલીસ ચોકી નજીક પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા અલગ ટીમ બનાવીને સતત તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસને આ હિંસક પ્રવૃત્તિમાં 200 વધુ લોકોની તલાશ છે. આ તમામ લોકો પોલીસના વીડિયોગ્રાફર અને સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમની ઓળખ કરવા માટે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછ પણ કરી રહી છે. સીસીટીવી કેમેરામાં દેખાતા આ તમામ લોકોની ઓળખ માટે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી છે, જે સતત સીસીટીવી ફૂટેજમાંથી આ આરોપીઓની શોધખોળ અને ઓળખાણમાં લાગી છે.

Tags: ganesh pandal paththarmarosurat
Previous Post

અરવલ્લી: ચીટર ચાર સ્વામીઓ સામે લૂક આઉટ નોટિસ જાહેર

Next Post

કોલકાતા: ત્રીજા દિવસે પણ સ્વાસ્થ્ય ભવન બહાર પ્રદર્શન

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કોલકાતા: ત્રીજા દિવસે પણ સ્વાસ્થ્ય ભવન બહાર પ્રદર્શન

કોલકાતા: ત્રીજા દિવસે પણ સ્વાસ્થ્ય ભવન બહાર પ્રદર્શન

70થી વધુની ઉંમરના લોકોને 5 લાખ સુધીની મફત સારવાર

70થી વધુની ઉંમરના લોકોને 5 લાખ સુધીની મફત સારવાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.