બેંગલુરુના મહાલક્ષ્મી હત્યા કેસના મુખ્ય આરોપીએ બુધવારે બપોરે ઓડિશાના ભદ્રક જિલ્લાના એક ગામમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. બેંગલુરુ પોલીસ પણ આરોપીને શોધી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ મુક્તિરંજન રોય છે. તેનો મૃતદેહ અરડી પોલીસ ચોકીના ભુઈનપુર ગામ પાસે ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તેની બાઇક પણ ત્યાં પાર્ક કરેલી મળી આવી હતી. સુસાઈડ નોટમાં મુક્તિરંજને મહાલક્ષ્મીની હત્યાની કબૂલાત કરી છે.
20 સપ્ટેમ્બરે બેંગલુરુના વ્યાલીકાવલ વિસ્તારમાં બાસપ્પા ગાર્ડન પાસેના ત્રણ માળના મકાનમાંથી 29 વર્ષીય મહાલક્ષ્મીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીરના 59 ટુકડા કરી રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે રૂમમાંથી દુર્ગંધ આવી ત્યારે હત્યાનો ખુલાસો થયો હતો.મહાલક્ષ્મી પરિણીત હતી અને 4 વર્ષથી તેના પતિથી અલગ રહેતી હતી. બેંગલુરુમાં એક મોલમાં કામ કરતી હતી. તેને 4 વર્ષની દીકરી પણ છે. મહાલક્ષ્મીના પરિવારે તેના સહકર્મીઓ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.
જે ઘરમાં મહાલક્ષ્મી રહેતી હતી. નજીકમાં રહેતા જીવન પ્રકાશને તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. જે તે સહન કરી શકતો ન હતો. જ્યારે તેમને ખબર પડી તો ઘરના ઉપરના માળેથી દુર્ગંધ આવી રહી હતી. જ્યાં મહાલક્ષ્મી રહેતી હતી. જીવન જ્યારે મહાલક્ષ્મીના દરવાજે પહોંચ્યો ત્યારે દુર્ગંધ એટલી વધી ગઈ કે તેનું ઊભા રહેવું મુશ્કેલ થઈ ગયું. દરવાજા પર તાળું હતું. જીવને તરત જ મહાલક્ષ્મીના ભાઈ ઉક્કમ સિંહ અને બહેનને ફોન કર્યો. રાત્રે લગભગ 12.30 વાગ્યે મહાલક્ષ્મીનો પરિવાર પહોંચી ગયો. આ પછી દરવાજાનું તાળું તોડવામાં આવ્યો હતો.ઓરડામાં લોહી પથરાયેલું હતું અને જંતુઓ જમીન પર સરકતા હતા. ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો. જ્યારે ફ્રિજ ખોલવામાં આવ્યું ત્યારે અંદર મહાલક્ષ્મીનું કપાયેલું માથું, પગ અને 59થી વધુ મૃત શરીરના ટુકડા હતા. પરિવારે તરત જ પોલીસને ફોન કર્યો.
પોલીસે જ પરિવારને જણાવ્યું હતું કે હત્યાની રાત્રે બે લોકો સ્કૂટી પર મહાલક્ષ્મીના ઘરે આવ્યા હતા. જે સીસીટીવીમાં પણ જોવા મળ્યા છે. આ કેસમાં પોલીસે અશરફ નામના હેર ડ્રેસરની પૂછપરછ કરી હતી. પીડિત પરિવારે અશરફ ઉપરાંત મહાલક્ષ્મી સાથે કામ કરતા કેટલાક લોકો પર પણ શંકા વ્યક્ત કરી હતી.





