Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માતાના મઢ ખાતે પતરી વિધિના વિવાદમાં મહારાવ હનુમંતસિંહજીની તરફેણમાં ચુકાદો

હાઇકોર્ટે સીધી લીટીના વારસદાર તરીકે અધિકાર આપ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-10-11 12:08:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કચ્છના લખપતમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ એટલે કે આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન માતાજીની પૂજામાં કચ્છના રાજવી પરિવાર દ્વારા પતરી વિધિ કરવામાં આવે છે. પરંતું છેલ્લા કેટલાંક સમયથી કચ્છના રાજવીના બે પરિવારો વચ્ચે પતરી વિધિના અધિકાર અંગે વિવાદ સર્જાયો હતો અને બે વાર માતાજીની પતરી વિધિ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે આ વિવાદમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
માતાના મઢ ખાતે પતરી વિધિના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે કચ્છના મહારાવ હનુમંતસિંહજીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કચ્છ રાજવી સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુમંતસિંહજીને સીધી લીટીના વારસદાર તરીકે હાઇકોર્ટે આશાપુરા માતાજીની પતરી વિધિનો અધિકાર આપ્યો છે. જેથી સામે પક્ષના સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના મહારાણી પ્રીતિદેવી દ્વારા નિમાયેલા સભ્યો પૂજા નહીં કરી શકે.
હાઇકોર્ટના ચુકાદા બાદ શરદબાગ પેલેસ ખાતે હનુમંતસિંહજીએ પત્રકાર પરિષદ બોલાવી હતી. તેમણે કહ્યું કે હાઇકોર્ટના આ ચુકાદાથી સત્ય જીત થઈ છે. આવતીકાલે હનુમંતસિંહજી માતાના મઢ ખાતે પતરી વિધિ માટે જશે. આ દરમિયાન સામે પક્ષના લોકો પણ હાઇકોર્ટના આદેશની અવગણના કરી પતરી વિધિ પૂજા કરશે તો તેના સામે કોર્ટના અનાદર અંગે કાર્યવાહી કરવામાં આવશે તેવી તૈયારી તેમના વકીલે બતાવી છે.

આ રીતે કરવામાં આવે છે પતરી વિધિ

આસો માસની નવરાત્રીની આઠમના રોજ રાજવી પરિવાર તરફથી મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડ ખાતે ન્હાવા પધારે છે અને ત્યારબાદ ચાચરા ભવાનીના મંદીરમાં પૂજા કરે છે. બાદમાં આશાપુરા માતાજીના મંદીરમાં માતાજીનો ભુવો પતરી નામના છોડવાના પાંદડાનો ઝુમખો કરી માતાજીના જમણા ખભા ઉપર રાખે છે. જાગરીયાઓને બોલાવી ડાક તથા ઝાંઝ વગાડવામાં આવે છે અને મહારાવ પોતાની પછેડીનો ખોળો પાથરી પતરી મેળવવા માતાજીને પ્રાર્થના કરે છે, અને જ્યાં સુધી પતરી મહરાવના ખોળામાં નથી પડતી ત્યાં સુધી સતત ઊભા રહી પ્રાર્થના કરે છે.

Tags: Kutchmaharao hanumantsinhpatri vidhi mata no madh
Previous Post

સાહિત્ય માટે દક્ષિણ કોરિયાના હેન કાંગને નોબેલ પુરસ્કાર

Next Post

દેદાદરા ગામમાં પ્રસાદ લીધા બાદ 30થી વધુને ફૂડ પોઈઝનિંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દેદાદરા ગામમાં પ્રસાદ લીધા બાદ 30થી વધુને ફૂડ પોઈઝનિંગ

દેદાદરા ગામમાં પ્રસાદ લીધા બાદ 30થી વધુને ફૂડ પોઈઝનિંગ

વિજાપુરમાં વીજ કરંટથી વિદ્યાર્થીના મોત મામલે પ્રિન્સિપાલ સહિત પાંચ આરોપીની ધરપકડ

વિજાપુરમાં વીજ કરંટથી વિદ્યાર્થીના મોત મામલે પ્રિન્સિપાલ સહિત પાંચ આરોપીની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.