ગત તા. પમી જુન ર0ર4ના રોજ અંતરીક્ષમાં પહોંચેલા સુનીતા વિલિયમ્સની સ્પેસમાં તબીયત લથડી છે. 155 દિવસ સુધી અવકાશમાં અટવાયેલી સુનીતા વિલિયમ્સની તબિયતમાં ફરક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેના ગાલ બેસી ગયા છે અને તેનું શરીર પહેલાં કરતાં ઘણું નબળું થઈ ગયું છે. આ અંગે તબીબો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકાના સિએટલ શહેરના પલ્મોનોલોજિસ્ટ ડો. વિનય ગુપ્તા અનુસાર, ’સુનીતા કેલરીની ઊણપથી પીડાય છે. તેણી મેળવે છે તેના કરતાં વધુ કેલરી ગુમાવે છે.
નાસા ક્રૂના 8 અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 200 દિવસ ગાળ્યા પછી 25 ઓક્ટોબરે સ્પેસ-એક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં પૃથ્વી પર પાછા ફર્યા. 5 નવેમ્બરે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્ય તપાસ બાદ ડો. વિનય ગુપ્તાએ સુનીતા વિલિયમ્સની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુનીતાની તાજેતરની તસવીરો પર ડો. વિનય ગુપ્તાએ કહ્યું, આ તસવીર એવા વ્યક્તિ વિશે જણાવે છે જે લાંબા સમયથી ઊંચાઈ પર રહે છે. ત્યાં દબાણયુક્ત કેબિનમાં રહેવાને કારણે તે કુદરતી તણાવનો સામનો કરી રહ્યો છે. તેમના ગાલ બેસી જાય છે અને આ ત્યારે થાય છે જ્યારે વજન ખૂબ ઝડપથી ઘટે છે.
લાંબા સમય સુધી કેલરીની ઊણપ લીવર, હૃદય અથવા શ્વસનતંત્રમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. ઘણી બધી કેલરીનો વપરાશ કરવા છતાં, જો તમે યોગ્ય માત્રામાં કેલરી નથી લેતા, તો તમને જરૂરી પોષક તત્ત્વો મળતાં નથી. થાક અને નબળાઈ અનુભવાય છે અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે અને શરીરની સંરક્ષણ પ્રણાલી નબળી પડી જાય છે.
સુનીતા અને બુશ માત્ર 8 દિવસ માટે જ અવકાશમાં ગયાં હતાં, પરંતુ હવે તેમને 8 મહિના કે તેથી વધુ સમય સુધી રહેવું પડશે. નાસાનું કહેવું છે કે સુનિતા અને બુશ ચોક્કસપણે ત્યાં ફસાયાં છે, પરંતુ ખાવા-પીવાની વસ્તુઓની કોઈ કમી નથી. એમએસ-28 નામના કાર્ગો રિસપ્લાય સ્પેસશીપમાંથી લગભગ ત્રણ ટન ખોરાક, કપડા, બળતણ, તબીબી અને સ્વચ્છતા વસ્તુઓ આઇએસએસ પર મોકલવામાં આવી હતી. તેમાં સ્ટેશનના વાતાવરણને ફરીથી ભરવા માટે 950 કિલો પ્રોપેલન્ટ, 420 કિલો પાણી અને 50 કિલો નાઇટ્રોજનનો પણ સમાવેશ થાય છે. અગાઉ 4 ઓગસ્ટના રોજ સિગ્નસ એનજી-21 નામના અમેરિકન કાર્ગો સ્પેસશિપમાંથી 3.8 ટન સામગ્રી આઇએસએસને મોકલવામાં આવી હતી.