Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પીએમ મોદીએ સુરતી ઊંધિયાનો સ્વાદ માણ્યો

સી આર પાટીલના દિલ્હી સ્થિત નિવાસસ્થાને ભોજન સમારંભનું આયોજન

dharmendravaghela by dharmendravaghela
2024-12-05 11:50:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના દિલ્હી સ્થિત નવા નિવાસસ્થાને આજે એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગુજરાત સરકાર ના સમગ્ર મંત્રીમંડળને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ સાંસદો , ભાજપના તમામ ધારાસભ્ય તથા કેટલાક પૂર્વ સાંસદ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના આગમન સમયે સીઆર પાટીલના પરીવારે પીએમને માતાજીની મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ આ સમારંભમાં હાજરી હતી. વડાપ્રધાન મોદીના આગમન બાદ હાજર તમામ લોકો સાથે ફોટો સેશન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભાજપના તમામ સાંસદ, ગુજરાત ભાજપના તમામ ધારાસભ્ય જોડાયા હતા. ભોજન સમારંભમાં પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ પણ હાજર રહ્યા હતા. તો અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા પણ હાજર રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ સમારંભમાં હાજર રહ્યા હતા જ્યાં તે ફોટો સેશનમાં પણ જોડાયા હતા.
ભોજન સમારંભ દરમિયાન પ્રધાનમંત્રી સાથે એક જ ટેબલ પર જે પી નડ્ડા, અમિત શાહ, સી આર પાટીલ, પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જોડાયા હતા. તો બીજી તરફ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અન્ય ટેબલ પર અન્ય કેન્દ્રીય મંત્રી સાથે ભોજન માટે નજરે ચડ્યા હતા. ભોજન સમારંભમાં ખાસ કરીને સુરતી વાનગી લોકોને પીરસવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે તમામ મહાનુભાવોએ સુરતી ઉંધીયાનો સ્વાદ માણ્યો હતો આ ઉપરાંત અલગ અલગ નોવેલ્ટી વાનગી ભોજનમાં લીધી હતી. ભોજન સમારંભ ના અંતે સી આર પાટીલે તમામ હાજર લોકોને હાથમાં રાખવાનું પાકીટ અને બોલપેન ભેટમાં આપી હતી.

Tags: delhimodi dinner at cr patil home
Previous Post

હૈદરાબાદમાં પુષ્પા-2 ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ:1 મહિલાનું મોત, 3 ઘાયલ

Next Post

AAP ધારાસભ્ય બાલ્યાનની જામીન મળ્યા બાદ ફરી ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
AAP ધારાસભ્ય બાલ્યાનની જામીન મળ્યા બાદ ફરી ધરપકડ

AAP ધારાસભ્ય બાલ્યાનની જામીન મળ્યા બાદ ફરી ધરપકડ

સલમાનના શૂટિંગમાં શંકાસ્પદ યુવક ઘુસ્યો

સલમાનના શૂટિંગમાં શંકાસ્પદ યુવક ઘુસ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.