વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ યુદ્ધ જહાજો INS સુરત (ડિસ્ટ્રોયર), INS નીલગીરી (સ્ટીલ્થ ફ્રિગેટ) અને INS વાઘશીર (સબમરીન) સમર્પિત કર્યા. આ ત્રણ અતિ આધુનિક યુદ્ધ જહાજોથી ભારતીય નૌકાદળની તાકાત વધુ વધશે. મોદી મુંબઈના નેવલ ડોકયાર્ડમાં નેવી અધિકારીઓને મળ્યા અને યુદ્ધ જહાજ વિશે વાત કરી હતી.
મોદીએ કહ્યું કે 15 જાન્યુઆરીને આર્મી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. આજનો દિવસ ભારતના મેરીટાઇમ હેરિટેજ નેવીના ગૌરવશાળી ઈતિહાસ માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે પણ મહત્વનો દિવસ છે.છત્રપતિ શિવાજી મહારાજે નૌકાદળને નવી તાકાત અને નવી દ્રષ્ટિ આપી હતી. આજે, અમે તેમની આ પવિત્ર ભૂમિ પર 21મી સદીના નૌકાદળને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભરી રહ્યા છીએ. આ પહેલીવાર છે જ્યારે ડિસ્ટ્રોયર, ફ્રિગેટ અને સબમરીન એકસાથે કાર્યરત થઈ રહી છે. આ આ ત્રણેય મેડ ઇન ઈન્ડિયા છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત વિસ્તરણવાદ પર નહીં, પરંતુ વિકાસની ભાવના પર કામ કરે છે. ભારત મેરીટાઈમ પાવર બની રહ્યું છે, આ વાત આજે લોન્ચ કરવામાં આવેલા પ્લેટફોર્મમાં પણ જોવા મળે છે. નીલગીરી ચોલ વંશના દરિયાઈ પરાક્રમને સમર્પિત છે. સુરત યુદ્ધ જહાજ એ સમયની યાદ અપાવે છે જ્યારે ગુજરાતને બંદર દ્વારા પશ્ચિમ એશિયા સાથે જોડાયું હતું. આજે વાઘશીર સબમરીન પણ કાર્યરત થઈ રહી છે. થોડા વર્ષો પહેલા, મને P-75 વર્ગની પ્રથમ સબમરીન સમર્પિત કરવાની તક મળી. આજે મેં આ વર્ગની છઠ્ઠી સબમરીન સમર્પિત કરી છે.
મોદીએ કહ્યું, અમે સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે માનીએ છીએ, ભારત વિકાસની ભાવનાથી કામ કરે છે, વિસ્તરણવાદની નહીં. ખુલ્લા, સુરક્ષિત, સમાવિષ્ટ ઇન્ડો પેસિફિક પ્રદેશને સપોર્ટ કરે છે. જ્યારે સમુદ્રની સરહદે આવેલા દેશોના વિકાસની વાત આવે છે, ત્યારે ભારતે મંત્ર આપ્યો સાગર- સિક્યોરિટી એન્ડ ગ્રોછ ફોર ઓલ ધ રીઝન. G-20 માં કહ્યું કે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય. કોરોના સમયે કહેવાયું હતું કે વન વર્લ્ડ, વન હેલ્થ. આખી દુનિયાને આપણે આપણો પરિવાર માનીએ છીએ.
ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે અમારી નેવીએ છેલ્લા કેટલાક મહિનામાં સેંકડો લોકોના જીવ બચાવ્યા છે. હજારો કરોડ રૂપિયાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્ગોનું રક્ષણ કર્યું છે. ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડમાં વિશ્વાસ સતત વધી રહ્યો છે. આસિયાન હોય, ઓસ્ટ્રેલિયા હોય, ખાડી હોય કે આફ્રિકન દેશો હોય, આજે ભારતનો આર્થિક સહયોગ તમામ સાથે સતત મજબૂત થઈ રહ્યો છે.
મેક ઇન ઇન્ડિયાના મંત્ર હેઠળ કામ કરી રહ્યા દેશની સૌથી મોટી હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી કર્ણાટકમાં શરૂ થઈ. યુપી-તામિલનાડુમાં બની રહેલા ડિફેન્સ કોરિડોરને વધુ વેગ મળશે. નેવીએ મેક ઈન ઈન્ડિયા અભિયાનનો પણ વિસ્તાર કર્યો છે. મઝાગોન ડોક યાર્ડના આપ સાથીઓની ભૂમિકા છે. 10 વર્ષમાં 33 જહાજ અને 7 સબમરીન નેવીમાં સામેલ કરવામાં આવી. તેમાંથી 39 ભારતીય શિપયાર્ડમાં જ બનેલ છે.