Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાષ્ટ્રને 3 ‘મહાબલી’ યુદ્ધ જહાજ સમર્પિત

ભારત વિકાસમાં માને છે, વિસ્તરણવાદમાં નહીં : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

dharmendravaghela by dharmendravaghela
2025-01-16 11:39:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ યુદ્ધ જહાજો INS સુરત (ડિસ્ટ્રોયર), INS નીલગીરી (સ્ટીલ્થ ફ્રિગેટ) અને INS વાઘશીર (સબમરીન) સમર્પિત કર્યા. આ ત્રણ અતિ આધુનિક યુદ્ધ જહાજોથી ભારતીય નૌકાદળની તાકાત વધુ વધશે. મોદી મુંબઈના નેવલ ડોકયાર્ડમાં નેવી અધિકારીઓને મળ્યા અને યુદ્ધ જહાજ વિશે વાત કરી હતી.
મોદીએ કહ્યું કે 15 જાન્યુઆરીને આર્મી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. આજનો દિવસ ભારતના મેરીટાઇમ હેરિટેજ નેવીના ગૌરવશાળી ઈતિહાસ માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે પણ મહત્વનો દિવસ છે.છત્રપતિ શિવાજી મહારાજે નૌકાદળને નવી તાકાત અને નવી દ્રષ્ટિ આપી હતી. આજે, અમે તેમની આ પવિત્ર ભૂમિ પર 21મી સદીના નૌકાદળને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભરી રહ્યા છીએ. આ પહેલીવાર છે જ્યારે ડિસ્ટ્રોયર, ફ્રિગેટ અને સબમરીન એકસાથે કાર્યરત થઈ રહી છે. આ આ ત્રણેય મેડ ઇન ઈન્ડિયા છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત વિસ્તરણવાદ પર નહીં, પરંતુ વિકાસની ભાવના પર કામ કરે છે. ભારત મેરીટાઈમ પાવર બની રહ્યું છે, આ વાત આજે લોન્ચ કરવામાં આવેલા પ્લેટફોર્મમાં પણ જોવા મળે છે. નીલગીરી ચોલ વંશના દરિયાઈ પરાક્રમને સમર્પિત છે. સુરત યુદ્ધ જહાજ એ સમયની યાદ અપાવે છે જ્યારે ગુજરાતને બંદર દ્વારા પશ્ચિમ એશિયા સાથે જોડાયું હતું. આજે વાઘશીર સબમરીન પણ કાર્યરત થઈ રહી છે. થોડા વર્ષો પહેલા, મને P-75 વર્ગની પ્રથમ સબમરીન સમર્પિત કરવાની તક મળી. આજે મેં આ વર્ગની છઠ્ઠી સબમરીન સમર્પિત કરી છે.
મોદીએ કહ્યું, અમે સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે માનીએ છીએ, ભારત વિકાસની ભાવનાથી કામ કરે છે, વિસ્તરણવાદની નહીં. ખુલ્લા, સુરક્ષિત, સમાવિષ્ટ ઇન્ડો પેસિફિક પ્રદેશને સપોર્ટ કરે છે. જ્યારે સમુદ્રની સરહદે આવેલા દેશોના વિકાસની વાત આવે છે, ત્યારે ભારતે મંત્ર આપ્યો સાગર- સિક્યોરિટી એન્ડ ગ્રોછ ફોર ઓલ ધ રીઝન. G-20 માં કહ્યું કે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય. કોરોના સમયે કહેવાયું હતું કે વન વર્લ્ડ, વન હેલ્થ. આખી દુનિયાને આપણે આપણો પરિવાર માનીએ છીએ.
ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે અમારી નેવીએ છેલ્લા કેટલાક મહિનામાં સેંકડો લોકોના જીવ બચાવ્યા છે. હજારો કરોડ રૂપિયાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્ગોનું રક્ષણ કર્યું છે. ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડમાં વિશ્વાસ સતત વધી રહ્યો છે. આસિયાન હોય, ઓસ્ટ્રેલિયા હોય, ખાડી હોય કે આફ્રિકન દેશો હોય, આજે ભારતનો આર્થિક સહયોગ તમામ સાથે સતત મજબૂત થઈ રહ્યો છે.
મેક ઇન ઇન્ડિયાના મંત્ર હેઠળ કામ કરી રહ્યા દેશની સૌથી મોટી હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી કર્ણાટકમાં શરૂ થઈ. યુપી-તામિલનાડુમાં બની રહેલા ડિફેન્સ કોરિડોરને વધુ વેગ મળશે. નેવીએ મેક ઈન ઈન્ડિયા અભિયાનનો પણ વિસ્તાર કર્યો છે. મઝાગોન ડોક યાર્ડના આપ સાથીઓની ભૂમિકા છે. 10 વર્ષમાં 33 જહાજ અને 7 સબમરીન નેવીમાં સામેલ કરવામાં આવી. તેમાંથી 39 ભારતીય શિપયાર્ડમાં જ બનેલ છે.

Tags: 3 warship commissionedindian nevymodiMumbai
Previous Post

સેનાએ 77મો સ્થાપના દિવસ પુણેમાં ઉજવ્યો : સળંગ ત્રીજા વર્ષે દિલ્હીની બહાર આર્મી ડે પરેડ

Next Post

મહાકુંભમાં આજથી 24મી ફેબ્રુઆરી સુધી સંસ્કૃતિનો મહાકુંભ યોજાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મહાકુંભમાં આજથી 24મી ફેબ્રુઆરી સુધી સંસ્કૃતિનો મહાકુંભ યોજાશે

મહાકુંભમાં આજથી 24મી ફેબ્રુઆરી સુધી સંસ્કૃતિનો મહાકુંભ યોજાશે

વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યૂઝિયમ 1 ફેબ્રુઆરીથી નાગરિકો માટે ખુલ્લુ

વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યૂઝિયમ 1 ફેબ્રુઆરીથી નાગરિકો માટે ખુલ્લુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.