આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે. સવારે 6 વાગ્યા સુધીમાં 41.11 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. છેલ્લા 44 દિવસમાં 65 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું. 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભનું સમાપન મહાશિવરાત્રી પર્વ સ્નાન સાથે થશે.આજે શિવરાત્રી પર 3 કરોડ ભક્તો આવવાની અપેક્ષા છે. એટલે કે, કુલ આંકડો 66થી 67 કરોડ સુધી પહોંચશે.
મહાકુંભમાં છેલ્લા સ્નાનને ધ્યાનમાં રાખીને 25 ફેબ્રુઆરીની સાંજથી પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મેળાની અંદર પણ વાહનો ચાલી રહ્યા નથી. રાત્રિથી જ સંગમ તરફ જતા રસ્તાઓ પર ભારે ભીડ છે. સંગમ ઘાટ પર સ્નાન કર્યા પછી ભક્તોને ઘાટ ખાલી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે જેથી ત્યાં ભીડ ન થાય. સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની આ સંખ્યા 193 દેશોની વસ્તી કરતા પણ વધુ છે. મહાકુંભમાં આવતા ભક્તોની સંખ્યા કરતાં ફક્ત ભારત અને ચીનની વસ્તી વધુ છે. યોગી સરકારે દાવો કર્યો હતો કે વિશ્વની અડધી હિન્દુ વસ્તી જેટલા લોકો અહીં આવ્યા છે.