Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચેમ્પિયન્સ ટ્રોફીની જીત બાદ મધ્યપ્રદેશના મહુમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

બે જૂથોએ દુકાનો-વાહનોને આગ લગાડી; પોલીસનો લાઠીચાર્જ, સેનાએ સ્થિતિ કાબૂમાં લીધી

dharmendravaghela by dharmendravaghela
2025-03-10 11:34:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશના મહુમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ કાઢવામાં આવેલા સરઘસ દરમિયાન વિવાદ થયો હતો. બંને જૂથો સામસામે આવી ગયા. લોકોએ દુકાનો અને વાહનોને આગ ચાંપી દીધી. પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા. લગભગ અઢી કલાક પછી પરિસ્થિતિ કાબુમાં આવી શકી. આ ઘટના રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. ભારતની જીત બાદ 40થી વધુ બાઇક પર 100થી વધુ લોકો સરઘસ કાઢી રહ્યા હતા. આમાં સામેલ લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન જામા મસ્જિદ પાસે ફટાકડા ફોડવાને લઈને લોકો સાથે વિવાદ થઈ ગયો. પાછળ આવી રહેલાં પાંચ-છ લોકોએ બીજા પક્ષના લોકોને રોકી લીધા અને મારપીટ શરૂ કરી દીધી
જ્યારે આગળ ચાલી રહેલા લોકોને આ વાતની ખબર પડી ત્યારે તેઓએ પથ્થરમારો શરૂ કરી દીધો. આ પછી બીજી બાજુના લોકોએ પણ પથ્થરમારો શરૂ કરી દીધો. થોડી જ વારમાં વિવાદ વકર્યો. કેટલાક બાઇક સવારો પત્તી બજારમાં ગયા, કેટલાક કોતવાલી ગયા અને બાકીના અન્ય વિસ્તારોમાં ગયા. અહીં, ગુસ્સે ભરાયેલા લોકોએ પત્તી બજાર વિસ્તારમાં પણ પથ્થરમારો શરૂ કરી દીધો. અહીં તેઓએ ઘરો અને દુકાનોની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ શરૂ કરી દીધી. અંધાધૂંધી વધતી જતાં નજીકના ચાર પોલીસ સ્ટેશનના પોલીસ દળોને મહુ બોલાવવામાં આવ્યા. 300થી વધુ દળ તૈનાત કરવામાં આવ્યા હતા. કલેક્ટર આશિષ સિંહ અને ડીઆઈજી નિમિષ અગ્રવાલ લગભગ દોઢ વાગ્યે મહુ પહોંચ્યા. તેમણે શહેરમાં ફરીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું.

Tags: mahump policetodfod
Previous Post

દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે જોરદાર બબાલ

Next Post

ICC ટુર્નામેન્ટમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા

dharmendravaghela

dharmendravaghela

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
ICC ટુર્નામેન્ટમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા

ICC ટુર્નામેન્ટમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા

ટીમ ઈન્ડિયા : 2 વર્લ્ડ કપ, બે T20 વિશ્વ કપ અને 3 ચેમ્પિયન્સ ટ્રોફી

ટીમ ઈન્ડિયા : 2 વર્લ્ડ કપ, બે T20 વિશ્વ કપ અને 3 ચેમ્પિયન્સ ટ્રોફી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.