મહેમદાબાદ પંથકમાં બુધવારે સાંજે કરુણાંતિકા બની છે, જ્યારે કનીજ ગામ પાસે મેશ્વો નદીમાં કિશોર, કિશોરી અને યુવતી સહિત 6 ડૂબી ગયા છે. કનીજ અને અમદાવાદના મામા-ફોઈનાં સંતાનો નદીમાં નાહવા ગયા હતા, પરંતુ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયાં હતાં. આ ઘટના ત્યારે બની જ્યારે આ તેઓ ઉનાળાની ગરમીથી બચવા માટે નદીમાં નાહવા ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ મહેમદાબાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી.
સ્થાનિક તરવૈયાઓએ બે કિશોર અને ચાર કિશોરીઓના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢી લીધા છે મહેમદાબાદના પીઆઈ સોલંકીએ જણાવ્યું કે, લાપતા યુવતીઓની શોધખોળ માટે ટીમ કાર્યરત છે અને મૃતકની ઓળખ કરવામાં આવી રહી છે.મૃતક યુવતીઓમાં જીનલ, દિવ્યા સોલંકી અને ફાલ્ગુની (રહે. નરોડા, અમદાવાદ) અને યુવક ધ્રુવ (રહે. નરોડા, અમદાવાદ)નો સમાવેશ થાય છે. અન્ય લાપતાઓમાં ભૂમિકા (રહે. કનીજ), મયુર (રહે. નરોડા, અમદાવાદ)નો સમાવેશ થાય છે.
આ બનાવ મામલે મહેમદાબાદના ધારાસભ્ય ચૌહાણે જણાવ્યું કે, આ તમામ લોકો પૈકી બે અથવા ત્રણ લોકો અમદાવાદના નરોડાના છે અને અગાઉ બેના મૃતદેહ દિવ્યા અને ફાલ્ગુનીના બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.