ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 5 મુસાફરોના મોત થયા છે, જ્યારે 2 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત ઉત્તરકાશીના ગંગાનીમાં થયો હતો. હેલિકોપ્ટર ગંગોત્રી ધામ જઈ રહ્યું હતું.
રિપોર્ટ અનુસાર, હેલિકોપ્ટર દહેરાદૂનથી પ્રવાસીઓને લઈને ખરસલી માટે ઉડાન ભરી રહ્યું હતું. આ મુસાફરો ચારધામ યાત્રા પર ગયા હતા. તેમને ખરસાલીથી ગંગોત્રી ધામ જવાનું હતું. આ હેલિકોપ્ટર ખાનગી કંપની એરો ટ્રિંકનું હતું. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ખરાબ છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં તોફાન અને વરસાદની ચેતવણી જાહેર કરી છે. ચારધામ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે કરા પણ પડ્યા છે.