ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યા બાદ ગુજરાતમાં પણ સાવચેતીના પગલા લેવાયા છે. ગુજરાતના અનેક જિલ્લાઓની સરહદો પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ભારત દ્વારા ઓપરેશન સિંદૂર એરસ્ટ્રાઇક બાદ બનાસકાંઠાની ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર નહિ જઈ શકે.
પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે. નડાબેટ ખાતે થતી BSF પરેડ પણ શનિવારથી બંધ કરાઈ છે. ભારત દ્વારા ઓપરેશન સિંદૂર એરસ્ટ્રાઇક બાદ બનાસકાંઠાની ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર સુરક્ષામાં વધારો કરાયો છે. ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર પ્રવાસીઓના જવા ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે જેથી હવે પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે.
ઉલ્લેખનીય છે કે નડાબેટ ખાતે થતી BSF પરેડ પણ શનિવારથી બંધ કરાઈ છે. નડાબેટ ટુરીઝમ પોઇન્ટ પ્રવાસીઓ વિના સુમસામ જોવા મળી રહ્યો છે. આજે સાંજે નડાબેટ BSFના પરેડ ગ્રાઉન્ડ પર મોકડ્રિલ યોજાશે. તેમજ બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં લોકોને તંત્ર દ્વારા સુરક્ષા અને સાવચેતી માટેની જાગૃતિ સતત અપાઈ રહી છે.ઑપરેશન સિંદૂરને પગલે ગુજરાતમાં ઈન્ડો-પાક બોર્ડરની નજીક આવેલા કચ્છ જિલ્લાનું ભુજ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. મુંબઈ-અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરી દેવાઈ છે. કચ્છ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરાયું છે.