શહેરની અઠવા ગેટ વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડ્વેન્ટિસ્ટ સ્કૂલના 100 વિદ્યાર્થીઓ, 12 શિક્ષકો અને 1 આચાર્ય વેકેશનના સ્પેશિયલ એજ્યુકેશનલ પ્રવાસ હેઠળ હિમાચલ પ્રદેશના ધર્મશાલાથી લગભગ 100 કિમી દૂર આવેલી કેમ્પ સાઇટ પર ગયા હતા. હવિદ્યાર્થીઓ ઉમંગભેર પ્રવાસ માણી રહ્યા હતા ત્યારે અચાનક બ્લેકઆઉટ સર્જાતા ઘટના ચિંતાજનક બની હતી.
પ્રવાસસ્થળના અંદાજે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતાં લાઈટ, નેટવર્ક અને અન્ય તકલીફો ઊભી થઇ હતી. અકસ્માત કે કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે હેતુથી સ્કૂલ સંચાલકોએ તાત્કાલિક નિર્ણય લઈને સમગ્ર પ્રવાસ રદ કર્યો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. ત્યાંથી તમામ શુક્રવારના રોજ ટ્રેન દ્વારા સુરત પરત ફરશે. વિદ્યાર્થીઓને પરત ફરતાં સુધી સ્કૂલ દ્વારા સતત પેરેન્ટ્સ સાથે સંપર્કમાં રહી માહિતી આપવામાં આવી રહી છે.
સ્કૂલના વ્યવસ્થાપકોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ જાતીની તકલીફ સર્જાય તેવી સ્થિતિ નથી. આ ઘટનાને લઈને સ્કૂલમાં વાલીઓએ વારંવાર પૂછપરછ કરી હતી. તેમને સ્કૂલ તરફથી બાળકો સુરક્ષિત હોવાનો મેસેજ આપવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં જ પરત સુરત આવી જશે એવું જણાવાયું હતું