સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે હાઈકોર્ટ તેના દેખરેખ હેઠળ નિયંત્રણમાં નથી અને જો તેઓ તેમની
અડધી તાકાત સાથે કામ કરી રહ્યા હોય તો તેમની પાસેથી તમામ કેસોનો ઝડપથી “ઉકેલ” લાવવાની
અપેક્ષા રાખી શકાય નહીં.ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ ટિપ્પણી અલાહાબાદ
હાઈકોર્ટને અપીલનો ઝડપથી નિકાલ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી
દરમિયાન કરી હતી.
અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે આ કેસ 13 વર્ષથી વધુ સમયથી હાઈકોર્ટમાં પેન્ડિંગ
છે. જસ્ટિસ નાથે કહ્યું હતું કે “હાઈકોર્ટ આ કોર્ટના સુપરવાઈઝરી કંટ્રોલ હેઠળ નથી. વકીલે કહ્યું હતું કે
અરજદારે આ મામલાના ઝડપથી ઉકેલ માટે હાઈકોર્ટમાં બે અરજીઓ દાખલ કરી છે.ખંડપીઠે કહ્યુ હતું કે
“અરજી યથાવત રાખો, જો હાઈકોર્ટ પોતાની અડધી સંખ્યા સાથે કામ કરી રહી હોય તો તમે કેવી રીતે
અપેક્ષા રાખી શકો કે તેઓ બધી કેસોનો ઝડપથી ઉકેલ લાવે? જૂના કેસ પેન્ડિંગ છે. જઈને વિનંતી
કરો.”અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરતા કોર્ટે અરજીકર્તાને પેન્ડિંગ કેસને ઝડપથી સૂચિબદ્ધ
કરવા અને નિકાલ માટે હાઈકોર્ટમાં અરજી કરવાની મંજૂરી આપી હતી. બેન્ચે કહ્યું હતું કે આવી અરજી
દાખલ કરવામાં આવે ત્યારે તે મુજબ જ વિચારણા કરવામાં આવશે.