Wednesday, December 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં બીએલઓને ધમકાવવા અને એસઆઈઆરના કામોમાં અવરોધ ઊભા કરવાની ઘટનાઓને અસ્વિકાર્ય ગણાવી

dharmendravaghela by dharmendravaghela
2025-12-10 12:04:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર ચાલી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે

પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં બીએલઓને ધમકાવવા અને એસઆઈઆરના કામોમાં અવરોધ

ઊભા કરવાની ઘટનાઓને અસ્વિકાર્ય ગણાવી હતી અને ચૂંટણી પંચને કહ્યું હતું કે, આ બાબતોને

ગંભીરતાથી લેવી જોઈએ. તેનો ઉકેલ નહીં આવે તો દેશમાં અરાજક્તા ફેલાઈ જશે.

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની કામગીરી અને બીએલઓ દ્વારા આત્મહત્યા સંબંધિત

કેસની સુનાવણી કરી હતી. સનાતની સંસદ સંગઠને દાખલ કરેલી અરજીમાં એસઆઈઆર પ્રક્રિયા પછી

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી પ્રકાશિત ના થાય ત્યાં સુધી પોલીસને ચૂંટણી પંચને અધિન કામ

કરવાનો નિર્દેશ આપવા માગ કરાઈ હતી. સુપ્રીમને જણાવાયું કે, પશ્ચિમ બંગાળમાં બીએલઓ વિરુદ્ધ

હિંસા વધી રહી છે. સ્થાનિક ગુંડાઓ તથા રાજકીય કાર્યકરો તરફથી તેમને સતત ધમકી આવામાં આવે

છે, તેથી ત્યાં કેન્દ્રીય દળો તૈનાત કરવા જોઈએ. સુપ્રીમે આ મુદ્દે મમતા સરકારને નોટિસ પાઠવી હતી.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મતદાર યાદીમાં એસઆઈઆર કામમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા સહયોગ

ના કરવાની બાબતને ગંભીરતાથી લેવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે, રાજ્ય સરકારો

સહયોગ ના કરતી હોય અને બીએલઓને ધમકાવતી હોય તો આવા કિસ્સા અમારા ધ્યાનમાં લાવો. અમે

સરકારોને આદેશ આપીશું.

કેટલીક રાજ્ય સરકારો દ્વારા એસઆઈઆરમાં સહયોગ નહીં કરવા અંગે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને

ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચને કહ્યું કે, આ સ્થિતિનો ઉકેલ લાવો નહીં તો

અરાજક્તા ફેલાઈ જશે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, સ્થિતિ બગડે તો

પોલીસને પ્રતિનિયુક્તી પર તૈનાત કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. ચૂંટણી પંચે કહ્યું કે, તેની

પાસે એસઆઈઆરના કામમાં લાગેલા બીએલઓ અને અન્ય અધિકારીઓને ધમકાવવાના કેસોનો ઉકેલ

લાવવા માટે બધી જ બંધારણીય શક્તિઓ છે.

Tags: indiasirsupreme court
Previous Post

માઇક્રોસોફ્ટ ભારતમાં એઆઈ સેક્ટરમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે

Next Post

ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯
તાજા સમાચાર

ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯

December 10, 2025
અમેરિકાની નવી વિઝા નીતિના પગલે માર્ચ સુધી ઇન્ટરવ્યુ મોકૂફ
તાજા સમાચાર

અમેરિકાની નવી વિઝા નીતિના પગલે માર્ચ સુધી ઇન્ટરવ્યુ મોકૂફ

December 10, 2025
ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત
તાજા સમાચાર

ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત

December 10, 2025
Next Post
ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત

ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત

અમેરિકાની નવી વિઝા નીતિના પગલે માર્ચ સુધી ઇન્ટરવ્યુ મોકૂફ

અમેરિકાની નવી વિઝા નીતિના પગલે માર્ચ સુધી ઇન્ટરવ્યુ મોકૂફ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.