ગુજરાતના પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા 7 દિવસની કરવામાં આવેલી આગાહી મુજબ, આજે રાજ્યમાં
વાતાવરણ શુષ્ક રહેશે. તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ
દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ કમોસમી
વરસાદનું જોર સામાન્ય હશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ
દ્વારા 7 દિવસની આગાહી કરવામાં આવી છે તેમાં રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ
રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ કમોસમી વરસાદનું જોર
સામાન્ય હશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
21 તારીખે તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદની
શક્યતાઓ છે, જેમાં થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટીની સામાન્ય શક્યતાઓ જોવાઈ રહી છે. 22 તારીખે એટલે કે
મંગળવારે ભરૂચ અને સુરતની સાથે અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19થી 21 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ અલગ
જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય
ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત
કર્યુ છે. વરસાદની સાથે રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ
શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કે 25થી 29 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવા અને 29
એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 11થી 20 મે દરમિયાન
રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળનું પ્રમાણ વધશે. કાચા મકાનોના પતરા ઊડી જાય તેવો
પવન ફૂંકાવવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.



