dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
જસ્ટિસ દય ઉમેશ લલિત આજે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ લેવડાવશે. CJI એનવી રમન્ના 26 ઓગસ્ટે નિવૃત્ત થયા બાદ જસ્ટિસ ઉદય રમેશને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવા ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ ત્રણ મહિના કરતાં ઓછો રહેશે અને તેઓ 8 નવેમ્બરે તેમના પદ પરથી નિવૃત્ત થશે. ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતનો જન્મ 9 નવેમ્બર 1957ના રોજ મહારાષ્ટ્રના સોલાપુરમાં થયો હતો. તેઓ જૂન 1983માં મહારાષ્ટ્ર અને ગોવા બાર કાઉન્સિલમાં વકીલ તરીકે દાખલ થયા હતા. જાન્યુઆરી 1986માં તેઓ દિલ્હી આવ્યા પહેલા તેણે ડિસેમ્બર 1985 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હટી. ચૂંટણીમાં સૌરાષ્ટ્રનું સુકાન જૂના જોગીને આપવાની તૈયારીમાં ભાજપ? બંધ બારણે થઈ ખાસ મીટિંગ મેહુલ બોઘરા પર હુમલા બાદ સુરત પોલીસની TRB જવાનોને લઈને મોટી કાર્યવાહી ડિમાર્ટના દામાણી કરશે Jhunjhunwala ની અબજોની સંપત્તિની દેખરેખ, હંમેશાથી રહ્યા છે ગુરુ અને મિત્ર ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ લલિત ફોજદારી કાયદાના નિષ્ણાત છે. તેમણે 2G કેસમાં સીબીઆઈના વિશેષ સરકારી વકીલ તરીકે કામ કર્યું છે. તેઓ સતત બે ટર્મ સુધી સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. ખૂબ જ નમ્ર સ્વભાવ ધરાવતા ઉમેશ લલિત ભારતના ઈતિહાસમાં બીજા એવા ચીફ જસ્ટિસ છે જે સુપ્રીમ કોર્ટના જજ બન્યા પહેલા કોઈ હાઈકોર્ટમાં જજ બન્યા નથી. તેઓ વકીલથી સીધા આ પદ સુધી પહોંચ્યા છે. તેમના પહેલા 1971માં દેશના 13મા મુખ્ય ન્યાયાધીશ એસએમ સિકરીએ આ સિદ્ધિ મેળવી હતી. તે અયોધ્યા વિવાદ સંબંધિત ફોજદારી કેસમાં યુપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહના વકીલ હતા. ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ લલિતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ ટ્રિપલ તલાક, કેરળના પદ્મનાભસ્વામી મંદિર પર ત્રાવણકોર રાજવી પરિવારનો દાવો અને POCSO સંબંધિત કાયદા વગેરે નિર્ણયો તેમણે સાંભળકાવ્યા હતા.





