વલભીપુર તાલુકાના મેલાણા ગામે પી.જી.વી.સી.એલ.નો જીવંત વીજ વાયર ૬ અબોલ પશુઓ ઉપર પડતા ખેતરમાં ચરાણ કરતા છ પશુઓના કરૂણ મોત નીપજયા છે. આ બનાવથી પશુપાલકો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી સાથે રોષ વયાપી ગયો છે. ઘટનાને આકસ્મિક ગણાવી બેદરકારી પર ઢાંકપીછોડોનો પ્રયાસ થઇ રહ્યાની ચર્ચા ઉઠી છે.

વલભીપુર તાલુકાના મેલાણા ગામની સીમમાં વીજ કંપનીનો જીવંત વીજ વાયર ખેતરોમાં ચરાણ કરતા પશુઓ ઉપર પડતા ૬ અબોલ પશુઓના કરૂણ મોત નીપજતા અરેરાટી વ્યાપી છે. મુજબ મેલાણા ગામે ખેતરમાં માલધારીઓનું પશુધણ ખેતરમાં ચરાણ કરતુ હતું તે સમયે ખેતરમાંથી પસાર થતી ખેતી વિષયક વીજ પોલ ઉપરથી જીવતો વાયર પાંચ ભેંસો અને એક ગાય ઉપર પડતા આ તમામ છ એ અબોલ પશુઓના ઘટના સ્થળે જ વીજ કરંટની મોતના મુખમાં ધકેલાયા હતાં.




