ભાવનગરનાં વાઘાવાડી રોડ પર મ્છઁજી સ્વામિનારાયણ મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ, કૃષ્ણ ભગવાન, રાધાજી, હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજ, શંકર -પાર્વતીજી – ગણેશજી અને રામ સીતાજી, હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામિ મહારાજનાં કર કમળો દ્વારા કરવામાં આવી હતી. જેને ૨૦ વર્ષ પૂર્ણ થતા વૈશાખ વદ સાતમના દિવસે મંદિરનો ૨૦મો પાટોત્સવ ખુબ જ ધામ ધૂમ પૂર્વક ઉજવાય ગયો. વહેલી સવારે છ વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક મહાપૂજામાં અક્ષરવાડીનાં વરિષ્ઠ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામિ દ્વારા ઠાકોરજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને દરેક હરિભક્તોએ પણ મહાપૂજાનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
મહાપૂજા બાદ બધા જ હરિભક્તો માટે ઠાકોરજીની મૂર્તિ પર કેસર ચંદન યુક્ત જળ દ્વારા અભિષેકની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી અને ભાવિક ભક્તોએ આ અલભ્ય લાભ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ મંદિરની દરેક મૂર્તિનું શોડશોપચાર દ્વારા પૂજન કરવામાં આવી હતી. ભગવાન સમક્ષ અન્નકૂટ મુકવામાં આવ્યો હતો.વરિષ્ઠ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામીએ તેમના આર્શીવાદમાં ભાવનગરમાં મ્છઁજી મંદિરની સ્થાપના થી આજ દિન સુધીની સ્મૃતિઓને દરેક હરિભક્તો સમક્ષ રજુ કરી હતી. લાતીબજાર મંદિરથી વાઘાવાડી રોડ અક્ષરવાડી સુધીની ભગવાનની યાત્રા અને તેના વિશેની વિસ્તૃત માહિતી આપી સૌની આ સફરની યાદ તાજી કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષરવાડી મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થતા હોય ‘ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ’ પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજના પાવન સાનિધ્યમાં ગત મહિનામાં ઉજવાયો હતો.





