સિહોર તાલુકાના ઈશ્વરીયા ગામમાં પાણી ભરેલી ખાણમાં યુવાન ડૂબવાની આશંકા સાથે આદરેલી શોધખોળ બાદ યુવાનની મળી લાશ મળી આવી હતી.
સિહોરના સણોસરા ગામે રહેતા ઘનશ્યામભાઈ કમલેશભાઈ ખાનિયા ઉ.વ.આ.૨૧ ઈશ્વરીયા ગામે આવેલ ખાણમાં ડૂબી જવાની આશંકા સાથે છેલ્લા બે દિવસથી શોધખોળ આદરવામાં આવી હતી જેની ફાયર વિભાગને સફળતા મળી હતી. સિહોર તથા તળાજા ફાયર બ્રિગેડ ટીમ દ્વારા યુવાનની શોધખોળ બે દિવસથી ચાલતી હતી ત્યારે લાશ મળી આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું છેલ્લા ૧૦ દિવસમાં ઈશ્વરીયા ગામે આ બીજી ઘટના બની છે અને બંનેમાં ફાયર વિભાગ દ્વારા લાશો બહાર કાઢી છે ત્યારે આ ખાણમાં ન્હાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તથા કોઈ ચોકીદાર મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે ઘટના સ્થળે પોલીસ તથા મામલતદાર સ્ટાફ ખડેપગે રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.





