ભાવનગર,તા.6
૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીનસીટી ભાવનગરના સ્થાપક દેવેનભાઈ શેઠે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. હાલમાં તેઓ પોતાના પરિવાર સાથે સિક્કિમના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન પણ પર્યાવરણ પ્રત્યેની પોતાની ફરજ ન ભૂલતા, તેમણે ગંગટોક સ્થિત હોટલ લેમન ટ્રી નજીક પરિવારના સભ્યો સાથે મળીને ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું.
દેવેનભાઈએ જણાવ્યું કે, પર્યાવરણની સુરક્ષા એ માત્ર કોઈ એક વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ આપણે જ્યાં પણ હોઈએ ત્યાં પ્રકૃતિનું જતન કરવું એ આપણી જવાબદારી છે. સિક્કિમની સુંદર વનરાજી વચ્ચે કરાયેલું આ વૃક્ષારોપણ સ્થાનિક લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ગ્રીનસીટીના આ પ્રયાસને વતન ભાવનગરમાં પણ વ્યાપક આવકાર મળ્યો છે.




