નવીદિલ્હી,
કોકરોચ જનતા પાર્ટી (CJP) દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહી છે. સ્થાપક અભિજીત દીપકે પણ હાજર છે. હજારો પ્રદર્શનકારીઓ ભેગા થયા છે. શિક્ષણમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.
અભિજીત શનિવારે સવારે 7:45 વાગ્યે અમેરિકાથી દિલ્હી પહોંચ્યા. તેઓ લગભગ એક કલાક પછી એરપોર્ટથી બહાર આવ્યા. બહાર આવવામાં મોડું થવાનું કારણ સામે આવ્યું નથી. અભિજીતે બહાર આવીને આંબેડકરનું પુસ્તક હાથમાં લીધું.જંતર-મંતર પર CJPનું આજે પહેલું પ્રદર્શન છે. આ પ્રદર્શન NEET-UG પેપર લીક અને CBSE, CUET SSC-GD જેવી પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ વિરુદ્ધ છે.
પાર્ટી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહી છે. CJPએ પ્રદર્શનમાં સામેલ થનારા સમર્થકો માટે એક ગાઈડલાઈન પણ જાહેર કરી છે. તેમાં સમર્થકોને સનસ્ક્રીન લગાવીને, નાસ્તો કરીને આવવા, હાથમાં તિરંગો, ફૂલ અને પુસ્તક લાવવા જેવી 8 અપીલ કરવામાં આવી છે.



