સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ભાવનગરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ સતત છઠ્ઠી ટર્મ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે,
તેઓ છેલ્લા 10 વર્ષથી સતત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 8 વર્ષથી તેઓ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ની પોસ્ટ એન્ડ બુલેટિન કમિટીના ચેરમેન તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે. અને ચેમ્બરની પ્રવૃત્તિઓને સભ્યો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.





