ભાવનગર,તા.૭
તળાજા તાલુકાના શેળાવદર ગામે થોડા દિવસ અગાઉ પવનચક્કી પ્રોજેક્ટના વિરોધ બાબતે થયેલી મારામારીનો બનાવ હવે હત્યામાં પરિણમ્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સ્થાનિક ખેડૂત રમેશભાઈ જાદવનું ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ખેડૂતના અવસાનના પગલે પોલીસે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ, શેળાવદર ગામની નદીમાં ચાલતા પવનચક્કી પ્રોજેક્ટના કામનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન મૃતક રમેશભાઈએ આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા વિકાસ અધિકારી (્ર્ડ્ઢં)ને ફોન કરીને જાણ કરી હતી. આ બાબતની અદાવત રાખીને દ્ભ.ઁ. ઈહીખ્તિઅ કંપનીના માણસો હોવાની ઓળખ ધરાવતા શખ્સોએ રમેશભાઈ પર લાકડીઓ અને હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે દાઠા પોલીસ મથકે કુલ ૬ શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
આ ચકચારી બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ભાવનગર એલ.સી.બી. ની ટીમે તાત્કાલિક ચક્રો ગતિમાન કરી હુમલો કરનારા તમામ ૬ આરોપીઓને ગણતરીના કલાકોમાં તે સમયે જ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં ગીગાભાઇ કથડભાઇ ભમ્મર (ઉ.વ.૪૦), ધનાભાઇ ભીખાભાઇ કામળીયા (ઉ.વ.૨૬), રામભાઇ પાતાભાઇ ભમ્મર (ઉ.વ.૩૦), રામભાઇ માણસુરભાઇ કાગ (ઉ.વ.૩૪), ગુલાબસિંહ ઝીણકુભા સરવૈયા (ઉ.વ.૫૨) અને રામભાઇ ગીગાભાઇ ભમ્મર (ઉ.વ.૪૩)નો સમાવેશ થાય છે. જેમને વધુ પૂછપરછ માટે દાઠા પોલીસને સોંપવામાં આવ્યા હતા. હવે બનાવ હત્યામાં પરિણમતા પોલીસે વધુ તાપસ સાથે કાર્યવાહી હાથ ધરી છે.





