Thursday, July 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંતોના વિવાદ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPSનો કોર્સ ભણાવવાનો નિર્ણય રદ

હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સનાતન ધર્મનો કોર્સ શરૂ થશે

aaspassdaily by aaspassdaily
2022-09-13 10:41:35
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPS કોર્સને લઇ મહત્વનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, છેલ્લા એક-બે દિવસ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવાદાસ્પદ નિવેદનના કારણે સમગ્ર હિંદુ સમાજ તેમજ સાધુ-સંતોમાં ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી BAPSનો કોર્સ શરૂ કરવાની હતી. જેમાં સ્વામિનારાયણ સપ્રદાયના સંતો અને મંદિરના ઉદાહારણો આપવાનો નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થીકાળથી યુવાનોમાં સ્કીલના નામે ધર્મ શીખવવાનો હતો. આ સિલેબસના એક પુસ્તકની કિંમત 220 રૂપિયા છે. આ અંગે યુનિવર્સિટીના રજીસ્ટારે પરિપત્ર બહાર પાડ્યો હતો. BAPS સંસ્થાએ જે વીડિયો લેક્ચર તૈયાર કર્યા છે તે સૌથી પહેલા કોલેજના પ્રોફેસરોને શીખવવાના હતા અને બાદમાં પ્રોફેસર વિદ્યાર્થીઓને શીખવવાના હતા. પરંતુ હવે યુનિવર્સિટીએ BAPSનો કોર્સ ભણાવવાનો નિર્ણય રદ કરી દીધો છે. સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવતા હવેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સનાતન ધર્મનો કોર્સ શરૂ થશે.
સંજય ઠાકરે આક્ષેપ કર્યો કે, જો સરકારની ઈચ્છા શક્તિ હોય તો શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠ્યક્રમમાં સામેલ થઈ ગઈ હોત. પણ સરકારની નક્કર ઈચ્છા શક્તિ હોય એવું અમને નથી લાગતું. સરકારે જ્યારે એક મક્કમ નિર્ણય કર્યો હોય, તો પછી એનું અમલીકરણ એ પણ તાત્કાલિક થવું જોઈએ. જે અત્યારે નથી થતું આ સરકારની ઈચ્છા શક્તિમાં મને કંઈક ખોટ દેખાઈ રહી છે. તેઓએ ભગવત ગીતાને લઈને જણાવ્યું કે, સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે. કારણ કે, ગાય, ગીતા અને ગંગા આ ત્રણ હિન્દુત્વની આધારશીલા છે અને આ ત્રણ માટે થઈને નક્કર કામગીરી ન થતી હોય, ગાયો રસ્તે રજડતી હોય, ગાયોની કતલ થતી હોય, ગંગાનું કોઈ શુદ્ધિકરણ ન થતું હોય અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની આવી જાહેરાત છતાં હજુ એક પણ રાજ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમનો અમલીકરણ ન થતો હોય તો પછી ગાય, ગીતા અને ગંગા આ ત્રણ હિન્દુત્વની આધારશીલા છે અને એના માટે જો નક્કર કામગીરી ન કરી શકતા હોય તો એને પોકળ જાહેરાતો સિવાય બીજુ શું કહેવું.

 

Tags: No BAPS courseRajkotsaurshtra univercity
Previous Post

‘બધા વેચાઈ ગયા’, જ્ઞાનવાપી કેસમાં કોર્ટના ચુકાદા બાદ મુસ્લિમ પક્ષની નારાજગી

Next Post

જમ્મુ અને કાશ્મીર SI ભરતી કૌભાંડમાં CBIના દરોડા

aaspassdaily

aaspassdaily

Related News

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા
તાજા સમાચાર

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા

July 9, 2025
છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ
આંતરરાષ્ટ્રીય

છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ

July 9, 2025
રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય
તાજા સમાચાર

રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય

July 9, 2025
Next Post
જમ્મુ અને કાશ્મીર SI ભરતી કૌભાંડમાં CBIના દરોડા

જમ્મુ અને કાશ્મીર SI ભરતી કૌભાંડમાં CBIના દરોડા

ખાનગી બસો ચાલવા દેવા રૂ. ૫૦હજારની લાંચ લેતા વિભાગીય નિયામક પરમાર રંગેહાથ ઝડપાયા

ખાનગી બસો ચાલવા દેવા રૂ. ૫૦હજારની લાંચ લેતા વિભાગીય નિયામક પરમાર રંગેહાથ ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.