ભારત સરકારના શિપીંગ, પોર્ટ્સ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ મંગળવારે ભાવનગર જિલ્લાના અલંગ ખાતે આવેલા શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લીધી હતી. એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડમાં ઉભી કરાયેલી વિવિધ વ્યવસ્થાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે યુરોપિયન યુનિયનના પ્રતીનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરી હતી.
આ પ્રતિનિધિ મંડળમાં નોર્વેના મુંબઈ સ્થિત કોનસ્યુલેટ જનરલ એમ્મા બો, રોયલ નોર્વેયન કોનસ્યુલેટ જનરલ આર્ને જેન ફ્લોલો, ડેન્માર્ક એમ્બસીના પારસ ગુપ્તા અને ડેન્માર્કના ટ્રેડ પોલિસીના કાઉન્સિલર મિઆ ઇજસિંગ લાયડોમ ઉપસ્થિત રહ્યા હતા.
અહીંના બે જહાજવાડાની મુલાકાત લઈ મંત્રીએ શિપ બ્રેકિંગની વિવિધ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત બાદ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે અલંગમાં ઉભી થયેલી વ્યવસ્થાના કારણે ગુજરાત અને અન્ય રાજ્યના ઘણાં લોકોને રોજગારીની તકો આપી છે.
આ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી ઉપરાંતસાંસદ ડો ભારતીબેન શિયાળ, શિપિંગ સચિવ ડૉ. સંજીવ રંજન (ૈંછજી), અધિક સચિવ શિપિંગના રાજેશકુમાર સિંહા, સંયુક્ત સચિવ, શિપિંગના ભૂષણ કુમાર, ચેરમેન ૈંॅટ્ઠ રાજીવ જલોટા, સુજીત કુમાર(PS), કલેક્ટર યોગેશ નીરગુડે, એસપી રવીન્દ્ર પટેલ, એસ.કે.મહેતા (ૈંહ્લજી-અધ્યક્ષ,ડ્ઢઁછ), નંદીશ શુક્લા (ૈંઇ્જી – ઉપાધ્યક્ષ ડ્ઢઁછ), નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય રાહુલ મોદી સહિતના અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.