વડાપ્રધાન મોદીએ ગુજરાતના પ્રવાસના બીજા દિવસે આણંદના શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વિશ્વભરમાં સરદાર પટેલનું સન્માન થયું છે પણ કોંગ્રેસ વાળા હજી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નથી ગયા. કોંગ્રેસ સરદાર પટેલના ચરણમાં માથુ નહીં નમાવે.
આણંદ ખાતે સભામાં વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આજે ગુજરાતની દીકરી મોડી રાત સુધી સ્કૂટી લઈને બહાર જાયા પણ મા-બાપ ચિંતા મુકત હોય છે. ઘણીવાર આણંદથી જાન નીકળે અને વડોદરા રોકાવવું પડતું હતું. આજે ગુજરાતે હરણફાળ પ્રગતિ કરી છે. ગામે ગામ પાકા રસ્તા બનાવ્યા. ઘેર ઘેર પીવાનું પાણી પહોંચાડયું છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે અર્બન નકસલવાદીઓએ સરદાર સરોવરનું કામ અટકાવ્યું હતું. ગુજરાતમાં કેટલાક ડેમ તો અગાઉની સરકારે બનાવ્યા પણ કેનાલ જ ન બનાવી. આ કામ 20 વર્ષ પહેલા શરૂ કરીને ભાજપે પુરું કર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે 20 વર્ષમાં દૂધ ઉત્પાદન અઢી ગણું વધ્યું છે. છેલ્લા 8 વર્ષમાં સરકારે ખેડૂત પશુ પાલકો માટે કામ કયુર્ં છે. પીએમે જણાવ્યું હતું કે આગામી સમયમાં વિદ્યુતકાર ઉત્પાદનમાં આગળ વધીશું. ઈલેકટ્રીક વ્હીકલ બાદ હવે વિદ્યુત કારથી દુનિયામાં ડંકો વગાડવાનો છે. ભારતમાં ગુજરાત તેજ ગતિથી આગળ વદી રહ્યું છે, મેટ્રો રેલથી લોકોનો ઘણો સમય બચશે.