મગજનો લકવો એટલે કે સેરેબ્રલ પાલ્સીની ખામી બાળકને શારીરિક તેમજ કેટલાક બાળકોમાં માનસિક અને સંવેદનાત્મક ક્ષતિઓના કારણે બહુ વિકલાંગ બનાવે છે. આ કોઈ રોગ નથી પરંતુ અપરિપકવ મગજને કારણે ઉદભવતી સ્થિતિ છે અને આ સંજાેગોમાં આવા બાળકને યોગ્ય શિક્ષણ આપવું તેની સંભાળ લેવી તે કપરૂં કાર્ય હોય છે. આવા બાળકો માટે કામ કરતી ભાવનગરની નટરાજ સીપી સ્કૂલ દ્વારા ૬ ઓક્ટોબર સીપી ડેની ઉજવણી સાથે આવા બાળકોના વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
૬ ઓક્ટોબર વિશ્વભરમાં સીપી ડે તરીકે ઉજવાય છે. ભાવનગરમાં પીએનઆર સોસાયટી દ્વારા સંચાલિત નટરાજ સીપી સ્કૂલમાં પણ આ દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. આવા બાળકોની વ્યક્તિગત અને શૈક્ષણિક જરૂરિયાત મુજબના સાધનો બનાવવાની હરીફાઈ નું આયોજન કરાયું હતું જેમાં ૩૭થી વધુ બાળકો,વાલીઓ અને વિશિષ્ટ શિક્ષકો જાેડાયા હતા. સાથે જ આવા બાળકોને વાલીઓને તથા સ્પેશિયલ એજ્યુકેટર એટલે કે વિશેષ શિક્ષકોને માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ સ્વ.કાંતિભાઈ મહેતા પરિવાર સૌજન્યથી આયોજિત થયો હતો જેમાં આવા બાળકો સાથે યોગ્ય રીતે કઈ રીતે કામ કરવું તેનું માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત બાળકેળવણી વિશે વિપુલભાઈ વ્યાસનો વાર્તાલાપ પણ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય જીજ્ઞાબેન સોલંકી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી