ગયા રવિવારે તમિલનાડુના કોયમ્બટૂરમાં એક મંદિરની સામે થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહી છે. આ કેસમાં તપાસ એજન્સીએ મોટો ખુલાસો કર્યો છે. એજન્સીનું કહેવું છે કે વિસ્ફોટમાં મૃત્યુ પામેલ 29 વર્ષીય વ્યક્તિ સંભવતઃ આત્મઘાતી બોમ્બર હતો. તેણે મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી હતી.
માર્યા ગયેલો યુવક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ હતો. તેને વિસ્ફોટકોને હેન્ડલ કરવાનો કોઈ અનુભવ નહોતો, જેના કારણે મોટું નુકસાન ટળી ગયું. માર્યા ગયેલા યુવકની ઓળખ જમીશા મુબીન તરીકે થઈ છે. NIA દ્વારા 2019માં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. એક પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું કે દિવાળીની પૂર્વ સંધ્યાએ સવારે 4 વાગ્યે કોટ્ટેમેડુમાં સંગમેશ્વર મંદિરની સામે જમીશા મુબીનની કાર રોકાઈ હતી. તે સમયે કારમાં વિસ્ફોટ થયો હતો. તે આગની જ્વાળાઓમાં લપેટાયેલી કારમાંથી બહાર નીકળ્યો અને થોડા ફૂટ દૂર જમીન પર પડ્યો. તેનું શરીર બળી ગયું હતું.
NIAના તપાસકર્તાઓએ જણાવ્યું કે જો કારમાં રાખેલા બે એલપીજી સિલિન્ડરોમાંથી એકને કારણે વિસ્ફોટ થયો હોત તો મંદિર તરફ જતા રસ્તાની બાજુમાં આવેલા ઘરોને નુકસાન થયું હોત. આઈએસથી પ્રભાવિત થઈને મુબીન કટ્ટરપંથી બની ગયો હતો, પરંતુ તેને બોમ્બ ધડાકાની તાલીમ આપવામાં આવી ન હતી. તેણે ઈન્ટરનેટ પરથી વિસ્ફોટકો અને બોમ્બ બનાવવાની માહિતી એકઠી કરી હતી. મુબીને વિચાર્યું કે તેના આત્મઘાતી બોમ્બ વિસ્ફોટથી 50 થી 100 મીટરની ત્રિજ્યામાં વિનાશ થશે અને મંદિર અને નજીકના કેટલાક મકાનો નાશ પામશે.
એક અધિકારીએ જણાવ્યું કે ઘટના સાથે સંબંધિત એક સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. આમાં, મુબીન અને તેના બે સાથીઓ મોહમ્મદ અઝરુદ્દીન અને કે અફસર ખાન શનિવારે મોડી સાંજે કારમાં બે એલપીજી સિલિન્ડર, પોટેશિયમ નાઈટ્રેટથી ભરેલા ત્રણ સ્ટીલના ડ્રમ, એલ્યુમિનિયમ પાવડર, સલ્ફર, ચારકોલ, નખ અને બોલ બેરિંગ્સ રાખતા જોઈ શકાય છે. ત્રણેયે બિગ બજાર સ્ટ્રીટ પર સ્થિત કોનિયામ્મન મંદિર અને પુલિયાકુલમ મુંડી વિનાયગર મંદિરની રેકી કરી હતી.