ભાવનગર મુંબઈ વચ્ચે સપાઇસ જેટ કંપની દ્વારા હાલ ફલાઇટનું સંચાલન થઈ રહ્યું છે, જે નિયમિત રીતે અનિયમિત હોવાની અનેક ફરિયાદ છતાં કંપની દ્વારા ગંભીરતા લેવાતી નથી. ભાવનગરમાં સેવા આપતી એક માત્ર વિમાની કંપની હોવાથી હવાઈ યાત્રીઓ સાથે જાણે કે દાદાગીરી જેવું વર્તન થઈ રહ્યું તેવી લાગણી થઇ રહી છે.
ભાવનગર મુંબઈ વચ્ચેની ફ્લાઈટ અનિયમિત રહે છે કે સૌ જાણે છે, ફ્લાઇટની અનિયમિતતાને કારણે હવા યાત્રીઓ મુશ્કેલી ભોગવે છે છતાં ભાવનગરવાસીઓ સહન કરી રહ્યા છે પરંતુ જ્યારે ફ્લાઇટ સમયસર હોય અને હવાઈયાત્રીને એક બે મિનિટનું આઘુ પાછુ થાય ત્યારે જડ નિયમો આગળ કરીને તેમને હેરાન કરવામાં આવે છે આ સામે રોષ વ્યાપી રહ્યો છે, ભાવનગરીઓને રીતસર ગરજ દેખાડવમાં આવતી હોય તેવું વર્તન થઈ રહ્યું છે, આ સામે પગલા ભરવા હવાઈ યાત્રીઓમાં પ્રબળ માંગ ઉઠી છે.
અગાઉ અચાનક બુકિંગ બંધ કરી દઈ દિવસો સુધી સેવા બંધ રાખવી તેમજ અચાનક ફ્લાઇટ કેન્સલ કરવી વિગેરે કંપની દ્વારા થતા મનસ્વી વર્તનનો ભોગ ભાવનગરના લોકો બન્યા છે, સ્પાઈસ જેટ કંપની જાણે ભાવનગરની જનતાને નબળી જાણી બેઠી હોય તેમ સર્વિસ ધાંધિયા વધ્યા છે સાથે જોહુકમી પણ વધી છે.!