Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન સેનામાં બળવાના એંધાણ, સૈન્યમાં મતભેદ સર્જાયાના સંકેત

ઈમરાનની નજીક મનાતા અધિકારીઓએ આપ્યા રાજીનામા

aaspassdaily by aaspassdaily
2022-11-29 11:15:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનમાં આર્મીના નવા વડાની નિમણૂક બાદ પાકિસ્તાન સૈન્યમાં મતભેદ સર્જાયા હોવાના સંકેત સામે આવી રહ્યા છે. જનરલ અસીમ મુનીરની આર્મી ચીફ તરીકે નિમણૂકના વિરોધમાં બે વરિષ્ઠ જનરલોએ તેમના હોદ્દા છોડવાનો નિર્ણય કર્યો છે. ખાસ વાત એ છે કે આ બંને જનરલ પૂર્વ પીએમ ઈમરાન ખાનના મિત્ર હોવાનું અને તેમની નજીકના માનવામાં આવી રહ્યાં છે. કહેવાય છે કે આગામી દિવસોમાં પાકિસ્તાનના સૈન્યના અન્ય કેટલાક મોટા અધિકારીઓ રાજીનામું આપી શકે તેમ છે. પાકિસ્તાનમાં નવા આર્મી ચીફ બન્યા પછી તરત જ, એક વરિષ્ઠ સૈન્ય અધિકારી, કે જેઓ ઇમરાન ખાનની નજીક માનવામાં આવે છે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જેલમાં નંખાયેલા આ અધિકારી ઉપર કથિત રીતે અભદ્ર નિવેદનો કરવાનો આરોપ છે.


મીડિયા રિપોર્ટ અનુસાર, સૈન્યનો હોદ્દો છોડનારાઓ પૈકીના એક લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ, ઈમરાન ખાનની સરકાર દરમિયાન આઈએસઆઈના વડા હતા. જનરલ બાજવાએ, લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને તેમના હોદ્દા પરથી દૂર કર્યાં હતા. તો બીજી તરફ હોદ્દો છોડનાર લેફ્ટનન્ટ જનરલ અઝહર અબ્બાસ પણ ઈમરાન ખાનની નજીકના અને વિશ્વાસુ માનવામાં આવે છે. મીડિયા અહેવાલ અનુસાર, આવનારા નજીકના સમયમાં પાકિસ્તાન સૈન્યના વધુ કેટલાક અધિકારીઓ તેમનો હોદ્દો છોડી શકે છે. ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે ફૈઝ હમીદને આર્મી ચીફ બનાવવા ઈચ્છતા હતા.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં જ લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરને આર્મી વડા તરીકે નિમણૂંક કરવાનો નિર્ણય લીધો હતો. ખાસ વાત એ છે કે તેઓ 27 નવેમ્બરે નિવૃત્ત થવાના હતા.લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર ખૂબ જ અનુભવી લેફ્ટનન્ટ માનવામાં આવે છે. અસીમ મુનીર લેફ્ટનન્ટ જનરલથી ફોર સ્ટાર રેન્કના અધિકારી છે. તેમને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. હવે લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર પાકિસ્તાન આર્મીનું નેતૃત્વ કરશે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં સત્તામાં રહેલ સરકારોમાં સેનાની બહુ મોટી ભૂમિકા રહી છે. ઈમરાન ખાને પણ પોતાની સરકારને તોડી પાડવા પાછળ સેનાની ભૂમિકા હોવાનો આક્ષેપ કર્યો હતો.
પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં જેટલી પણ સરકાર આવી તેટલી સરકારમાં આર્મી ચીફની પોસ્ટિંગ હંમેશા રાજકીય જ રહેવા પામી છે. તાજેતરમાં અસીમ મુનીરની નિમણૂંકની પાછળની ખાસ વાત એ છે કે અસીમ મુનીર ઈમરાન ખાનના કટ્ટર વિરોધી છે. 2018માં ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા ત્યારે અસીમ મુનીર આઈએસઆઈના વડા હતા. તેમણે કથિત રીતે ઈમરાન ખાન ઉપર આક્ષેપ કરતા કહ્યું કે તેમની પત્ની બુશરા બીબી અને તેના પહેલા પતિ અને મિત્રો ભ્રષ્ટાચારથી કરોડોની કમાણી કરે છે.કહેવાય છે કે ઈમરાન ખાને આ નિવેદનને લઈને પત્નિ કે તેના પૂર્વ પતિ પર કોઈ કાર્યવાહી ના કરી, બલ્કે મુનીરને આઈએસઆઈ ચીફના પદ પરથી હટાવી દીધા હતા.
આઈએસઆઈના વડાના હોદ્દા પરથી હટાવ્યા બાદ મુનીર, ઈમરાન ખાનના કટ્ટર વિરોધી બની ગયા હતા. હવે ઈમરાન ખાન સત્તાથી બહાર છે. ત્યારે શાહબાઝ શરીફે રાજકીય રીતે સૈન્યના વડા તરીકે મુનિરની નિમણૂંક કરીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આર્મી ચીફની નિયુક્તિ બાદ ઈમરાન ખાનની લોંગ માર્ચ પણ ફ્લોપ થઈ હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન ઈમરાને તેમની લોંગ માર્ચ પણ રદ્દ કરી દીધી છે. જનરલ બાજવા આજે નિવૃત્ત થઈ રહ્યા છે, જનરલ બાજવા પણ નહોતા ઈચ્છતા કે ઈમરાન ખાનની નજીકના અધિકારી સૈન્ય પ્રમુખની ખુરશી પામે.

Tags: Army officerpakistanresign
Previous Post

EVM ખરાબીની ખોટી ફરિયાદ કરનારને સુપ્રીમ કોર્ટે આપી ચેતવણી

Next Post

ક્ષત્રિયોના બલિદાન, ગરીમાને ભાજપ અને મોદીજીએ જે સન્માન આપ્યું છે તે ભૂતકાળમાં ક્યારેય નથી મળ્યું – પ્રદિપસિંહ વાઘેલા

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ક્ષત્રિયોના બલિદાન, ગરીમાને ભાજપ અને મોદીજીએ જે સન્માન આપ્યું છે તે ભૂતકાળમાં ક્યારેય નથી મળ્યું – પ્રદિપસિંહ વાઘેલા

ક્ષત્રિયોના બલિદાન, ગરીમાને ભાજપ અને મોદીજીએ જે સન્માન આપ્યું છે તે ભૂતકાળમાં ક્યારેય નથી મળ્યું - પ્રદિપસિંહ વાઘેલા

ટોયોટા કિર્લોસ્કર મોટર્સ લિમિટેડ ના વાઇસ ચેરમેન વિક્રમ શ્રીકાંતનું મૃત્યુ

ટોયોટા કિર્લોસ્કર મોટર્સ લિમિટેડ ના વાઇસ ચેરમેન વિક્રમ શ્રીકાંતનું મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.