ભાવનગરમાં લોખંડ બજાર પાસે આવેલ પ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિરનો સુવર્ણ જયંતિ મહોત્સવ તા.૨૪ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન આયોજીત થયો છે. આ દિવસોમાં ભવ્ય ધર્મોત્સવ યોજાશે.
આ સાથે શહેરના ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ યોજાશે જેમાં વક્તા સ.ગુ.શા. સ્વા. નિર્લેપસ્વરૂપદાસજી (વેદાંતાચાર્ય) બોરસદ રહેશે. ધર્મોત્સવ સંદર્ભે ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે સ્થંભ રોપણ કરવામાં આવ્યું હતું જેમાં સ્વામીનારાયણ સંતો, મંદિરના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા હરિભક્તોની ઉપસ્થિતિ રહી હતી.